________________
ભાવ લેશ્યા કહેવાય છે. આગમમાં તેમનો કૃષ્ણાદિ છ રંગો દ્વારા નિર્દેશ કરેલો છે. તેમાંથી ત્રણ શુભ અને ત્રણ અશુભ હોય છે. દેવ અને નરકોમાં દ્રવ્ય અને ભાવ લેશ્યા સમાન હોય છે. પરંતુ મનુષ્ય અને તિર્યંચોમાં એવો નિયમ નથી.
લેશ્યાના છ પ્રકારો છે૧૭ :
(૧) કૃષ્ણ લેશ્મા (૨) નીલ લેશ્યા (૩) કાપોત લેશ્યા (૪) તેજો લેશ્યા (૫) પદ્મ લેશ્યા અને (૬) શુકલ લેશ્યા.
૬ લેશ્યાના વર્ણ :
(૧) કૃષ્ણ લેશ્યાનો વર્ણ૧૮ :
કૃષ્ણ લેશ્યા વર્ણની અપેક્ષાએ સ્નિગ્ધ અને ભરેલા કાળા મેઘની સમાન છે. ભેંસના શિંગડા જેવી છે. અઢિા જેવી છે. ગાડીની મળી સમાન છે. નેત્રની વચ્ચેની કીકીની સમાન છે. અર્થાત્ આ કૃષ્ણ લેશ્યા પરમ કૃષ્ણ વર્ણવાળી છે.
વળી૧૯ કૃષ્ણલેશ્યા જેમ કોઈ મેઘ અથવા અંજન, ખંજન, કાજળ, પાડાનું શિંગડું, ગવલવ, જાંબુફળ, ભીના અરિઠાના ફૂલ, કોયલ, ભ્રમરોની પંકિત, હાથીનું બચ્ચું, કાળું કેસર, આકાશનો ટુકડો, કાળું અશોક, કાળી કણેર, કાળું બંધુજીવક વગેરેનોકાળો વર્ણ (રંગ) હોય છે. તેનાથી પણ અધિક કૃષ્નલેશ્યા અનિષ્ટતર, અધિક અકાંત, અધિક અપ્રિય, અને અધિક અમનોજ્ઞ વર્ણની હોય છે.
કૃષ્ણ લેશ્યાનો રસ ઃ
કૃષ્ણ લેશ્મા રસની અપેક્ષાએ જેમ કડવી તુંબડીનો રસ, કડવી છાલનો રસ, લીંબડાનો રસ હોય એ બધાથી પણ અનંતગણો કડવો રસ કૃષ્ણ લેશ્યાનો હોય છે.
વળી૧ કૃષ્ણ લેશ્યાનો રસ જેમ કોઈ લીંબડો, લીંબડાનો સાર, લીંબડાની છાલ, લીંબડાનો કવાથ, કુરંજ વૃક્ષ, કુરંજનાં ફળ, કુરંજની છાલ, કુરંજનો કવાથ, કડવી તુંબડી, કડવી તુંબડીનાં ફળ, કડવી કાકડી, કડવી કાકડીનાં ફળ, રોહિણી, રોહિણીનાં પુષ્પ, મૃગ વાલુંકી, મૃગ વાલુંકીનાં ફળ, કડવાં તૂરિયા, કડવાં તૂરિયાનાં ફળ, કૃષ્ણ કંદ, વજકંદ, આદિનો રસ કડવો હોય છે. તેનાથી પણ કૃષ્ણ લેશ્યાનો રસ અધિક અનિષ્ટ યાવત્ અધિક અમનોજ્ઞ હોય છે.
૨૫૦