________________
જાય છે. - એક થી છ સંયઘણવાળા પક્ષી, ભુજંગ, સિંહ, મત્સ્ય અને મનુષ્ય ૩જા નરક સુધી જાય છે.
એક થી છ સંઘયણવાળા ભુજપર, પક્ષી, ભુજંગ, સિંહ, મત્સ્ય અને મનુષ્ય બીજા નરક સુધી જાય છે.
૧ થી ૬ સંઘયણવાળા અસંજ્ઞી, ભુજપર, પક્ષી, ભુજંગ, સિંહ મત્સ્ય અને મનુષ્ય ૧લા નરક સુધી જાય છે. સિદ્ધાંતભેદ (વિભિન્ન માન્યતાઓ).
કર્મગ્રંથમાં એકેન્દ્રિય જીવોને અસંઘયણી બતાવ્યા છે. તેમના શરીરમાં હાડકાં ન હોવાથી અસંયઘણી કહ્યા છે.
સમવાયાંગ સૂત્રમાં એકેન્દ્રિય જીવોને સેવાર્ય સંઘયણ બતાવેલ છે. કેમ કે ઔદારિક શરીરમાં ૭ ધાતુનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમાં હાડકાંનો પણ સમાવેશ થાય છે. એકેન્દ્રિય જીવોમાં બળની અપેક્ષાએ, જ્ઞાનીઓએ બતાવેલ છે. માટે એકેન્દ્રિયમાં સેવાર્ત સંઘયણ હોય છે. પ્રથમ ત્રણ ઉત્તમ સંહનાનનું મહત્ત્વ :
આદિના અર્થાત્ પ્રથમ ત્રણ ઉત્તમ સંઘયણ છે. એટલે કે વજઋષભ નારાચ સંઘયણ, ઋષભ નારા સંઘયણ અને મારા સંયઘણ આ ત્રણ સંઘયણને ઉત્તમ કહેલ છે.
ઉપરોક્ત ત્રણ ઉત્તમ સંઘયણમાંથી મોક્ષનું કારણ પ્રથમ સંઘયણ હોય છે. ધ્યાનનાં કારણો તો ત્રણ છે. કેમ કે ઉત્તમ સંઘયણવાળા જ ઘણા સમય સુધી ધ્યાન ધારણ કરી શકે છે. અન્ય સંઘયણવાળા ધ્યાન ધારણ કરી શકતા નથી.
જેને શુકલ લેશ્યા હોય છે તે જ વજઋષભ નારાચ સંઘયણના સ્વામી હોય છે. શુક્લધ્યાન પ્રથમ સંઘયણવાળા જ કરી શકે છે. કેમકે આ સંઘયણવાળોનું જ
૨૦૪