SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ નારકોની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્ય (૪ હાથનું ૧ ધનુષ્ય છે તેથી ૨૦૦૦ હાથ એટલે વા ગાઉ) અને દેવોની ઉત્કૃષ્ટ અવગાહના ૭ હાથ પ્રમાણની છે. એ પ્રમાણે સામાન્યથી નારકોની અને દેવોની અવગાહના કહી છે. દેવ-નારકોની વિશેષતઃ અવગાહનાનું વર્ણન આગળ કર્યું છે. गब्भतिरि सहस जोयण, वणस्सई अहिय जोयण सहस्सं । नर-तेइंदि तिगाऊ, तेइंदिय जोयणे बार ॥७॥ ગાથાર્થ - ગર્ભજ તિર્યંચની હજાર જોજનની છે. વનસ્પતિની હજાર યોજનથી પણ કંઈક અધિક છે. ગર્ભજ મનુષ્ય અને તે ઇન્દ્રિયની ૩ ગાઉ અને બેઇન્દ્રિયની બાર જોજનની હેલ છે. * | સર્વે સમદ્રો પ્રમાણાંગુલથી ૧000 જોજન ઊંડા છે. સમુદ્રોનાં જે જે સ્થાને ઉત્સધાંગુલના પ્રમાણવાળી 1000 જોજનની ઊંડાઈ હોય, ત્યાં જે જે કમળ વગેરે વનસ્પતિ હોય તે જ એક હજાર જોજન અવગાહનાવાળી જાણવી. અને બીજે સ્થાને (એથી પણ અધિક ઊંડાઈમાં) કમળ વગેરે વનસ્પતિઓ છે. પરંતુ તે ખરી વનસ્પતિઓ નથી. કારણ કે-આકાર વનસ્પતિઓનો છે અને જીવો પૃથ્વીકાયિક છે. મનુષ્યનું શરીર ૩ ગાઉનું કહ્યું, તે દેવકુફ અને ઉત્તરકુરૂક્ષેત્રના યુગલિક મનુષ્યોને જાણવું. કે જેઓ ૩ પલ્યોપમના આયુષ્યવાળા પણ છે. બીજા મનુષ્યોનું શરીર પ્રમાણ તેથી ન્યૂન (ઓછું) જાણવું. તેઇન્દ્રિયનું ૩ ગાઉનું અને બેઇન્દ્રિયનું ૧૨ યોજન શરીર પ્રમાણ કહ્યું છે તે પ્રાયઃ અઢીદ્વિપથી બહાર દ્વીપ-સમુદ્રોમાં ઉત્પન્ન થતા કાનખજૂરા વગેરે અનેક ક્રોડ યોજન વિસ્તારવાળા સમુદ્રમાં ઉત્પન્ન થતા શંખ વગેરે બેઈન્દ્રિયોના જાણવા. અતર્મુહૂર્ત આયુષ્યવાળા અને ઉત્પન્ન થતાં જ તુરત ૧૨ યોજન શરીરવાળા થઈને તુરત મરણ પામતાં. પૃથ્વીમાં તેવડો મોટો ખાડો પડી જવાથી ચક્રવર્તી સૈન્યને પણ જમીનમાં ગરકાવી દેનારા આસાલિક જાતિના સર્પને શાસ્ત્રમાં (ઉરપરિસર્પ તિર્યંચ ૧૯૫
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy