________________
પંચેન્દ્રિય અને મતાંતરે) બેઇન્દ્રિય પણ કહ્યા છે-તે મહાદેહવાળા બેઇન્દ્રિયો ૨૫ દ્વીપમાં પણ સંભવે, તેથી “પ્રાયઃ” કહ્યું છે.
ગાથાર્થ ઃ
:
जोयणमेगं चउरिंदि - देहमुच्चत्तणं सुए भणियं । विदेहं पुण, अंगुल संखं समारंभे ॥८॥
સિદ્ધાંતમાં ચતુરિન્દ્રિયના શરીરની ઊંચાઈ એક યોજન કહી છે અને વૈક્રિય શરીર પ્રારંભમાં અંગુલના સંખ્યાતમા ભાગ જેટલું છે.
ચૌરેન્દ્રિય જીવોનું શરીર એક યોજન પ્રમાણ કહ્યું છે તે મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા દ્રીપ-સમુદ્રોમાંના ભ્રમર વગેરેનું જાણવું. ભ્રમરાદિકોની એ અવગાહનાઓ સિદ્ધાંતમાં કહી છે.
ઉત્તરવૈક્રિયના પ્રારંભમાં જે અંગુલના સંખ્યાતમા ભાગની અવગાહના કહી ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય તથા દેવ-નારકની અપેક્ષાએ છે. પરંતુ વાઉકાયનું પ્રારંભમાં પણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડું જ હોય છે. કેમ કે વાઉકાયનું કોઈ પણ શરીર ઉત્કૃષ્ટ પણ એટલું જ હોય છે.
ઉત્તર વૈક્રિયની ઉત્કૃષ્ટ અવગાહના.
देव - नर अहियलक्खं, तिरियाणं नव य जोयण सयाई । गुणं तु नारयाणं, भणियं वेउव्वियसरीरं ॥९॥
ગાથાર્થ ઃ
દેવોનું વૈક્રિય (શરીર) લાખ યોજન અને મનુષ્યોનું અધિક છે. તિર્યંચોનું નવસો યોજન છે. અને નારકોનું વૈક્રિય શરીર બમણું કહ્યું છે.
ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના દેવને સંપૂર્ણ ૧ લાખ યોજન પ્રમાણ અને મનુષ્યને કંઈક અધિક ૧ લાખ યોજન પ્રમાણ છે. મનુષ્ય જમીનને સ્પર્શીને ઊભો રહે છે. અને દેવ તો જમીનથી ૪ અંશુલ અદ્ધર રહે છે. જેથી નીચેના ભાગમાં મનુષ્યનું શરીર ૪ અંગુલ અધિક છે. અને દેવનું શરીર સંપૂર્ણ ૧ લાખ યોજનનું હોય છે.
૧૯૬