SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ સુધી એ પ્રમાણે સમજવી. આનત દેવના તૈજસ શરીરની અવગાહના ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તિછ મનુષ્ય ક્ષેત્ર સુધી, ઉપર અશ્રુત કલ્પ સુધી હોય છે. પરંતુ આનતદેવ આદિથી અશ્રુત, દેવની એ વિશેષતા છે કે ઉપર પોતાના વિમાન સુધી જ હોય છે. અહીં ઉપર અશ્રુત કલ્પસુધી ન કહેવું કેમ કે અશ્રુત દેવ કદાચિત પોતાના વિમાનની ઊંચાઈ સુધી જાય છે અને જો ત્યાં જઈને કાલધર્મ પામે ત્યારે આ અવગાહના થાય છે. પરંતુ આનત, પ્રાણત, આરણ કલ્પના દેવ બીજા કોઈ દેવની નિશ્રાથી અશ્રુત કલ્પમાં ગયા હોય ને ત્યાં કાળ કરીને અધોલૌકિક ગામમાં અથવા મનુષ્ય ક્ષેત્રના પર્યત ભાગમાં મનુષ્ય રૂપથી ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ નીચે અધોલૌકિક ગ્રામ સુધી અને તિથ્ય મનુષ્ય ક્ષેત્ર સુધી તથા ઉપર અય્યત ક૫ સુધી અથવા અશ્રુતદેવ વિમાન સુધીની આનત આદિ દેવોના તૈજસ શરીરની અવગાહના જાણવી. મારણાન્તિક સમુદ્યાતમાં સમવહત રૈવેયકદેવના તૈજસ શરીરની અવગાહના વિખંભ અને બાહલ્યની અપેક્ષાએ શરીરની બરાબર જ છે. લંબાઈની દૃષ્ટિથી જઘન્ય વિદ્યાધર શ્રેણીઓ સુધી અને ઉત્કૃષ્ટ અધોલૌકિક ગામો સુધી, તિરસ્કૃ મનુષ્ય ક્ષેત્ર સુધી અને ઉપર પોતપોતાના વિમાનો સુધી હોય છે. , અનુત્તરીપ પાતિક દેવોના તેજસ શરીરની અવગાહના રૈવેયકદેવના સમાન જ છે. રૈવેયકના દેવ અને અનુત્તરીપપાતિક દેવ અહંવૃંદન આદિ પણ પોતાના સ્થાન પર સ્થિત રહીને જ કરે છે. અહીં આવતા નથી, તેથી તેમની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની નથી, પણ જયારે વૈતાઢ્ય પર્વત ઉપરની વિદ્યાધર શ્રેણીઓમાં તેઓ ઉત્પન્ન થનારા બને છે ત્યારે પોતાના સ્થાનથી આરંભ કરીને વિદ્યાધર શ્રેણીઓ સુધી તેમના તૈજસ શરીરની અવગાહના થાય છે. (૫) કામણ શરીરની અવગાહના : કામણ શરીર પાંચ પ્રકારનાં કહેલાં છે. એકેન્દ્રિય કાર્પણ શરીર યાવત્ પંચેન્દ્રિય કાર્પણ શરીર. તે તૈજસ શરીરનું સહચર છે. જ્યાં તૈજસ શરીર છે ત્યાં કાર્મણ શરીર હોય છે. અને કામણ શરીર હોય ત્યાં તૈજસ શરીર અવશ્ય હોય છે. તેથી જ કાર્મણ શરીરનાં ૧૮૮
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy