SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મલયગિરિએ વ્યાખ્યારૂપ અનેક કથાનક આપ્યા છે. વૃત્તિનું ગ્રંથમાન ૬૭૦૦ શ્લોક પ્રમાણ છે. (૯) આવશ્યક વિવરણજ પ્રસ્તુત વિવરણ આવશ્યક નિર્યુક્તિ પર છે. તે અપૂર્ણ જ પ્રાપ્ત છે. (૧૦) બૃહત્કલ્પપીઠીકા વૃત્તિષ્પ : આ વૃત્તિ ભદ્રબાહુકૃત બૃહત્કલ્પપીઠિકા નિર્યુક્તિ અને સંઘદાસગણિ ભાષ્ય પર છે. વૃત્તિકારે પ્રસ્તુત વૃત્તિમાં પ્રાકૃત ગાથાઓ સાથે પ્રાકૃત કથાનક વર્ણવ્યા છે. ગ્રંથમાન ૪૬૦૦ શ્લોકનું છે. (૧૦) મલધારી હેમચંદ્રકૃત ટીકાઓ : મલધારી હેમચંદ્ર રાજમંત્રી હતા. મલધારી અભયદેવ સૂરિની પાસે દીક્ષિત થયા હતા. ભગવતી જેવું શાસ્ત્ર તેમણે કંઠસ્થ કર્યું હતું. તેમણે ઘણા ગ્રંથો લખ્યા હતા. (૧) આવશ્યક પ્રદેશ વ્યાખ્યા : આ વ્યાખ્યાં હરિભદ્રકૃત આવશ્યકવૃત્તિ પર છે. વ્યાખ્યાકારે આવશ્યક વૃત્તિના કેટલાક કઠીન સ્થળોનું સરલશૈલીમાં વ્યાખ્યાન કર્યું છે. તેનું ગ્રંથમાન ૪૬૦૦ શ્લોકપ્રમાણ છે. (૨) અનુયોગ દ્વાર વૃત્તિ॰ : આ વૃત્તિ અનુયોગ દ્વારના સૂત્રોનું સરલ અર્થ પ્રસ્તુત કરવાને માટે બનાવી છે. વૃત્તિમાં રસનું વિવેચન કર્યું છે. તેનું ગ્રંથમાન ૫૯૦૦ શ્લોક પ્રમાણ છે. (૩) વિશેષાવશ્યક ભાષ્ય - બૃહવૃત્તિ ઃ પ્રસ્તુત વૃત્તિને “શિષ્યાહિતા” વૃત્તિ પણ કહે છે. તેના આચાર્યે વિશેષાવશ્યભાષ્યમાં પ્રતિપાદિત પ્રત્યેક વિષયને અતિ સરલ અને સુબોધ શૈલીમાં સમજાવેલ છે. તેનું ગ્રંથમાન ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ છે. ૪.
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy