SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષ્યકાર સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે. (૯) બૃહત્કલ્પ-બૃહભાષ્ય : બૃહત્કલ્પ-લઘુભાષ્યથી પ્રસ્તુત ભાષ્ય આકારથી નામ પ્રમાણે મોટું છે. પરંતુ દુર્ભાગ્યથી અપૂર્ણ જ ઉપલબ્ધ છે. તેમાં બે ઉદેશા તો પૂર્ણ છે. ત્રીજો ઉદેશો અપૂર્ણ છે. અંતના ત્રણ ઉદ્દેશા અનુપલબ્ધ છે. બૃહભાષ્યમાં લઘુભાષ્યના વિષયોનો જ વિસ્તાર પૂર્વક વિચાર કરવામાં આવેલ છે. “ચૂરિયોં અને ચૂર્ણિકાર” જૈન આગમો પર પ્રાકૃત અથવા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃતમાં જે વ્યાખ્યાઓ લખાઈ છે તે ચૂર્ણિઓના રૂપમાં પ્રસિદ્ધ છે. ચૂર્ણિકાર : ચૂર્ણિકારના રૂપમાં મુખ્યત્વે જિનદાસગણિ મહારનું નામ પ્રસિદ્ધ છે. નિમ્નતિ ચૂર્ણિયો જિનદાસગણિ મહતરની કહેવાય છે. (૧) નિશીથ વિશેષચૂર્ણિ (૨) નંદીચૂર્ણિ (૩) અનુયોગદ્વાર ચૂર્ણિ, (૪) આવશ્યકચૂર્ણિ, (૫) દશવૈકાલિક ચૂર્ણિ, (૬) ઉત્તરાધ્યયનચૂર્ણિ, (૭) સૂત્રકૃતાંગચૂર્ણિ, ઉપલબ્ધ જીતકલ્પચૂર્ણિ સિદ્ધસેનસૂરિકૃત છે. બૃહત્કલ્પચૂર્ણિકારનું નામ પ્રબંધસૂરિ છે. દશવૈકાલિક સૂત્ર પર એક ચુર્ણિ છે તેના રચયિતા અગસ્યસિંહ છે. (૧) નંદીચુર્ણિપN : આ ચૂર્ણિ મૂળ સૂત્રાનુસારી છે તથા મુખ્યત્વે પ્રાકૃતમાં લખેલી છે. તેમાં યત્રતત્ર સંસ્કૃતનો પ્રયોગ છે. તેમાં સૌ પ્રથમ વરસ્તુતિની વ્યાખ્યા કરીને સંઘસ્તુતિ કરી. તીર્થકરો, ગણધરો અને વિરોની નામાવલી પણ આપી છે. પાંચ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ વર્ણવ્યું છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનના સંબંધમાં આચાર્યે ત્રણ મત ઉદ્ધત કર્યા છે. (૧) કેવલ જ્ઞાન અને કેવલદર્શનનું યોગપઘ, (૨) તે બંનેનું ક્રમિકત્વ અને (૩) તે બંનેનું અભેદ. ત્યારબાદ કેવલજ્ઞાન અને કેવલદર્શનનું ક્રમભાવિત્વ માટે સમર્થન કર્યું છે. છેલ્લે ગ્રંથની સમાપ્તિમાં દ્વાદશાંગની આરાધનાના ફળનું સ્વરૂપ વ્યક્ત કર્યું છે. ૩૬
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy