SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) વ્યુત્સર્ગ તેમાં ભાષ્યકારે મૂળ સૂત્રના નિર્દિષ્ટ સ્થાન, આગમન, વિહાર આદિ પદોનું સંક્ષિપ્ત વ્યાખ્યાન કર્યું છે. (૬) તપ ઃ તપની ચર્ચાના પ્રારંભમાં જ્ઞાન અને દર્શનના ૮-૮ અતિચારોનો વિચાર કર્યો છે. ત્યારપછી ૧૦ પ્રકારના કલ્પનું વર્ણન કર્યું છે. તપોધનના વિભાગ કરીને તપ પ્રાયશ્ચિતનું સુવિસ્તૃત વિવેચન કર્યું છે. (૭) છેદ ને (૮) મૂળ : - આદિ જનની ઉત્કૃષ્ટ તપોભૂમિ એક વર્ષની હોય છે. મધ્યમ જિનોની આઠ માસની હોય છે. અંતિમ જીનની છ માસની હોય છે. તપોભૂમિનો નિર્દેશ કર્યા પછી મૂળ પ્રાયશ્ચિતના અપરાધસ્થાનો તરફ સંકેત કર્યો છે. (૯) અનવસ્થાપ્ય : આ પ્રાયશ્ચિતના અપરાધ સ્થાનોનું દિગ્દર્શન કરાવતાં આચાર્યે હસ્તતાલ, હસ્તાલંબ, હસ્તાદાન આદિનું વર્ણન બતાવ્યું છે. (૧૦) પાાંચિક : આચાર્યે તીર્થંકર, પ્રવચન, શ્રુત, આચાર્ય આદિની અસાતનાથી સંબંધ રાખવાવાળા પારાંચિકનો નિર્દેશ કર્યો છે. ભાષ્યકારે કહ્યું છે કે જે સૂત્ર અને અર્થથી યુક્ત છે. તે જ જીતકલ્પનો યોગ્ય અધિકારી છે. બાકીનાને અયોગ્ય સમજવા જોઈએ. (૩) બૃહત્કલ્પ- લઘુભાષ્ય : બૃહત્કલ્પ-લઘુભાષ્યના પ્રણેતા સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે. તેમાં બૃહત્કલ્પસૂત્રના પદોનું સુવિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. લઘુભાષ્ય હોવા છતાં તેની ૬૪૯૦ ગાથા છે. છ ઉદ્દેશામાં વિભક્ત છે. ભાષ્યના પ્રારંભમાં એક વિસ્તૃત પીઠિકા છે. પ્રથમ ઉદ્દેશામાં 33
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy