________________
૩૨
ભર્તૃહરિકૃત : शार्दूलविक्रीडितवृत्त :
हिक्काकासभगंदरौदरमहामेदज्वरैराकुलः श्लेष्माद्यैरपि निद्रया विरहितो मन्दानलोऽल्पाशनः । तारुण्येऽपि विलोक्यते बहुविधो जीवो दरिद्रेश्वरो हा कष्टं कथमीदृशं भगवतः संसारदुःसागरे ॥५८ ।।
હેડકી, ઉધરસ, ભગંદર, ઉદરરોગ, મહામે, જવર (તાવ), વગેરે અનેક રોગથી પીડા થાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે, પેટ ભરીને ખાઈ શકાતું નથી, કફાદિ દાને લીધે પણ નિદ્રા આવતી નથી, નિર્ધન સ્થિતિ જોગવવી પડે છે–આવી રીતે અનેક પ્રકારનાં દુઃખ તરુણાવસ્થામાં પણુ જીવને ભેગવવાં પડે છે અને બહુ દુઃખે પિતાની દષ્ટિથી જુવે છે; છતાં પણ જીવ ભગવાનનાં ચરણનું સેવન કરતું નથી. અરેરે ! આ સંસારરૂપી દુઃખદાયક સિંધુમાં શું આવું દુઃખ જ સમાયેલું છે? ૫૮ : વન્તતિસ્ત્રાવૃત્તઃ
आरभ्य गर्भवसति मरणावसानं यद्यस्ति जीवितुमदृष्टमनेककालम् । जन्तोस्तथापि न सुखं सुखविभ्रमोऽयं यद्वालया रतिरनेकविभूतिभाजः॥५९ ॥
આ જગતમાં ગર્ભવાસથી માંડીને મરણ પર્યંત આખા જીવતરમાં પ્રાણીને લાંબા સમય સુધી લેશભર પણું અદષ્ટ સુખ મળતું નથી. જે કંઈ સુખ જેવું લાગે છે, તે સુખના ભ્રમ છે, પણ ખરું સુખ નથી. તેમજ સ્ત્રી સાથે સુરતાદિક સુખભેગે તથા વિભવ પણ દેહનો પાત થાય ત્યાંસુધી રમણીય લાગે છે, પરંતુ પરિણામે તે દુઃખદાયક થઈ પડે છે. માટે જ્ઞાનીએ સંસારનો ત્યાગ કરી દેવો. ૫૯