________________
૩૧
વિજ્ઞાનશતક
૩૧ : farળવૃત્તઃ - ૧
जगाम व्यर्थ मे बहुदिनमथार्थार्थि तनयाः कुभूमिपालानां निकटमतिदोषाकुलमतेः। हरिध्यानव्यग्रं भवितुमधुना वाञ्छति मनः क्वचिद्गंगातीरे तरुणतुलसीसौरभभरे ॥५६॥
હે પુત્રો! મારી બુદ્ધિ મલિન કર્મના વેગથી વ્યાકુળ થઈ ગઈ હતી. તેથી મેં નાશવંત ધન સંપાદન કરવા માટે દુષ્ટ રાજાઓની સેવા કરવામાં ઘણું દિવસેને ફગટ ગુમાવી દીધા. પરંતુ હવે મારા મનમાં એવી ઈચ્છા થઈ છે, કે નવપલ્લવ તુલસીઓના સુગંધથી મહેકી રહેલા ગંગા નદીના કેાઈ તીર ઉપર બેસીને હું શ્રીહરિના ધ્યાનમાં પરાયણ થાઉં. પ૬ : શાર્દૂવીદિતવૃત્તઃ
अन्नाशाय सदा रटन्ति पृथकाः क्षुत्क्षामकंठाः स्त्रियो वासोभी रहिता बहिर्व्यवहृतौ निर्यान्ति नो लज्जया। गेहादंगणमार्जनेऽपि गृहिणो यस्येति दुर्जीवितं यद्यप्यस्ति तथापि तस्य विरतिनोंदेति चित्रं गृहे ॥५७॥
કરાંઓ “અમને ખાવા આપે, ખાવા આપે, એમ કહીને રાત દહાડો અન્નને માટે ટળવળતાં હોય; અન્નના અભાવે સ્ત્રીને કંઠ પણ દુર્બળ થઈ ગયું હોય, અને પહેરવાને માટે વસ્ત્ર પણ ન હોવાથી સગાંવહાલાંને મળવા માટે તેમ જ કેઈ વ્યાવહારિક કાર્યને માટે તથા ઘરનું આંગણું વાળવાને પણ લજજાની મારી ઘરની બહાર નિકળી શકતી ન હોય. આવું દુઃખી જીવિત ગાજ્યા છતાં પણ ગૃહસ્થાશ્રમી પુરુષને ઘર ઉપર વૈરાગ્ય આવતું નથી, એ આશ્ચર્યની વાત છે. પણ