________________
ભર્તુહરિકૃત - વરરઃ
अर्थेभ्योऽनर्थजातं भवति तनुभृतां यौवनादिग्ववश्य पित्राद्यैरर्जितेभ्योऽनुपकृतिमतिभिः स्वात्मनाप्यर्जितेभ्यः । यस्माद्दुःखाकरेभ्यस्तमनुसर सदा भद्र ! लक्ष्मीविलासं गोपालं गोपकान्ताकुचकलशतटीकुंकुमासंगरंगम् ॥५४॥
પિતા, પ્રપિતામહ વગેરેએ મેળવેલા અથવા તે પિતે જાતે મેળવેલા ધનથી અનર્થપરંપરા ઉદ્ભવે છે. આવું ધન પરોપકારમાં નહિ વાપરનારા પુરુષોને યૌવન આદિ અવસ્થાઓમાં અવશ્ય દુઃખ થાય છે. માટે હે ભલા માણસ! લકામીની સાથે વિલાસ કરનારા, પાનું પાલન કરનારા, ગોપીના કુચરૂપી કલશની સાથે આલિંગન કરતાં લાગી ગયેલ કેસર વડે રંગાયેલા શ્રી લક્ષમીપતિ વિષણુની તું સદાય સેવા કર. ૫૪ કરશાસ્ત્રવિકીતિવૃત્તઃ
माद्यत्तार्किकतान्त्रिकद्विपघटासंघट्टपंचाननस्तद्वदृप्तकृतान्तवैद्यककलाकल्पोऽपि निष्किंचनः। यत्र क्वापि धनाशया कृशतनुभूपालसेवापरो जीवन्नेव मृतायते किमपरं संसारदुःसागरे ॥ ५५॥
મદમત્ત તર્કશાસ્ત્રીએઋપી તથા તંત્રશાસ્ત્રીએ પી ગજઘટાની સાથે યુદ્ધ કરવામાં સિંહસમાન હોય, અથવા તે ગર્વિષ્ઠ એવા કાળ જે પ્રચંડ હોય, અથવા તે વૈદ્યવિદ્યામાં કુશળ હોય, છતાં પણ કૃશ શરીરવાળો નિર્ધન પુરુષ (તેમ ન કરતાં) ધનની આશાથી હરકોઈ પણ સ્થળે જઈને રાજાની સેવા કરે છે, તથા સંસારરૂપી દુઃખસમુદ્રમાં જીવતાં જ મરણનું દુઃખ અનુભવે છે. અરેરે!! આના કરતાં વિશેષ દુખ તે કયું ? પપ .