________________
વિજ્ઞાનશતક : રાષિીડિતત્ત:
सन्त्यर्था मम सञ्चिताश्च बहुधाः पित्रादिभिः साम्प्रतं वाणिज्यैः कृषिभिः कलाभिरपि तान्विस्तारयिष्यामि वः । हे पुत्रा इति भावयन्ननुदिनं संसारपाशावलि छेत्तायं नु कथं मनोरथमयीं जीवो निरालम्बनः ॥ ६॥
હે પુત્રો! મારા પિતા, પિતામહ વગેરેએ હીરા માણેક, સુવર્ણ, રૂપું વગેરે અનેક ધન એકઠું કરીને મને સોંપ્યું છે, અને હવે હું પણ વ્યાપાર કરીને, ખેતીવાડી કરીને તથા બીજી કળાએ વડે તમારા માટે તે ધનમાં માટે વધારો કરીશ.' અજ્ઞાની છ રાતદહાડે આવા આવા વિચારો કર્યા કરે છે. પરંતુ તે નિરાધાર જીવ મનોરથસ્ય છે સંસારની ફુસીને કેવી રીતે કાપશે ? (કાઈ પણુ રીતે કાપી શકે, એમ જણાતું નથી.) ૬૦
તાત્પર્ય–અજ્ઞાની જીવ પુત્રો તથા પાત્રને માટે રાતદહાડો અનેક મનોરથ કર્યા કરે છે, અને વધારે ને વધારે સંસારના પાશમાં બંધાતો જાય છે; અને છેવટે તેમાંથી છૂટવા માટે તેની પાસે કઈ પણ ઉપાય રહેતા નથી. :વસન્તતિક્કાર:
माता मृता जनयितापि जगाम शीघ्र लोकान्तरं तव कलत्रसुतादयोऽपि । भ्रातस्तथापि न जहासि मृषाभिमान दुःखात्मके वपुषि मूत्रकुदपये। ६१॥ હે ભાઈ! તારી માતા મરી ગઈ, પિતા પણ સત્વર સ્વર્ગલોકમાં પધાર્યા, સ્ત્રી અને પુત્ર પણ સ્વર્ગ ગયાં; તેમ છતાં તું દુઃખથી ભરેલાં મૂત્ર, નરક, માંસ, રુધિર, લીંટ, લાળ વગેરે અપવિત્ર પદાર્થોના અને કુત્સિત ગર્વના એક કૂવા સમાન આ દેહને માટે મિથ્યા અભિમાન હજી પણ છોડતા નથી(એ બહુ આશ્ચર્યની વાત છે). ૬૧