________________
વિજ્ઞાનશતક શારિરીતિવૃત્ત
(નાસ્તિકો) • कस्येमौ पितरौ मनोभववता तापेन संयोजितावन्योन्यं तनयादिकं जनयतो भूम्यादिभूतात्मभिः । इत्थं दुःस्थमतिमनोभवरतिर्यो मन्यते नास्तिकः शान्तिस्तस्य कथं भवेद्धनवतो दुष्कर्मधर्माश्रयात् ॥१०॥
નાસ્તિક મતવાળાઓ કહે છે કેઃ માતાપિતા કામદેવના તાપથી સંતપ્ત થઈ પરસ્પર સમાગમ કરીને પૃથ્વી, પાણી, પવન અને અગ્નિ આ ચાર ભૂતાના સંયોગથી પુત્રાદિકને ઉત્પન્ન કરે છે, તેમાં માત્ર તેમની કામતૃપ્તિ જ કારણ છે. માટે તેમના તરફ શા માટે પૂજ્યબુદ્ધિ રાખવી? આ રીતે દુષ્ટ બુદ્ધિવાળે, કામમાં રચ્યાપચ્યા રહેનાર નાસ્તિક માને છે. માટે દુષ્કર્મ અને દુષ્ટ ધર્મને આશ્રય કરવાથી તે ધનવાનને શી રીતે શાંતિ મળે? કદિ પણ મળે જ નહિ. ૧૦
તાત્પર્ય-નાસ્તિકની મૂર્ખતાને ભર્તુહરિ ધિક્કારે છે. : રવિશદતવ્રતઃ
देहाद्यात्ममतानुसारि भवतां यद्यस्ति मुग्धं मतं वेदव्यासविनिन्दितं कथमहो पित्राद्यपत्ये तदा । दाहादिः क्रियते विशुद्धफलको युष्माभिरुद्वेजितैः शोकेनार्थपरायगैरपसदैदृष्टार्थमात्रार्थिभिः॥११ ।।
હે દેહાત્મવાદીઓના મતને અનુસરનારા! તમે જે વેદવ્યાસે નિંદી કાઢેલા દેહાદિકને જ આત્મા માનનારા ચાર્વાકના મિથ્યા મતને માનતા હે તે, પ્રત્યક્ષ પ્રમાણને ખરું માનનારા એવા તમે સ્વાર્થપરાયણ હોવા છતાં પિતા, પુત્ર વગેરેનાં શરીરને જાતે ચિતામાં બાળી નાંખીને તેને શા