________________
ભર્તૃહરિકૃત
તાત્પર્ય–શ્રીહરિ પેાતાનું આરાધન કરનારને પરમ પદ આપે છે, પછી તે ધ્રુવ હા કે દાનવ. ભગવાન્ ભક્તવત્સલ છે; તેને સમ–વિષમ ભાવ નથી.
: शार्दूलविक्रीडितवृत्त : (અજ્ઞાની ઈશ્વરને ઓળખતે નથી. को देवो भुवनोदयावनकरो विश्वेश्वरो विद्यते यस्याज्ञावशवर्तिनो जलधयो नाप्लावयन्ति क्षितिम् । इत्याम्नातमपीश्वरं सुरशिरोरत्नं जगत्साक्षिणं सर्वशं धनयौवनोद्धतमना नो मन्यते बालिशः ॥ ९ ॥
જે પરમાત્મા આ જગતના ઉદ્ભય અને પાલન કરે છે, જે વિશ્વના ઈશ્વર છે, સાત સમુદ્રો જેમની આજ્ઞાને આધીન રહીને પૃથ્વીને ખેાળી દેતા નથી, તે વેદ તથા ઉપનિષદ્ભમાં વર્ણન કરાયલા સર્વે જગતના સાક્ષી અને સર્વજ્ઞ. એવા ઇશ્વરને ધન તથા જુવાનીથી ઉદ્ધૃત મનના થયેલા મૂર્ખાએ માનતા નથી. અર્થાત્ ઇશ્વર છે જ નઠુિં, આમ કહે છે. ૯
તાત્પર્ય-ચાક વગેરે નાસ્તિકા કહે છે કે, નવન્ત નાવી વા નૈવામા વારૌજિઃ-સ્વર્ગ નથી, નરક નથી, આત્મા નથી, તેમ પારલૌકિક પણ નથી.” માટલેથી જ તેઓ અટકયા નથી, પણ આગળ વધીને કહે છે કે “થાવાવેત્ સવ जीवेत् ऋणं कृत्वा घृतं पिबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कृतः॥ જીવતાં સુધી સુખમાં રહેવું ને કરજ કરીને પણ ઘી પીવું. કારણ કે આ શરીર મળીને ભસ્મ થઈ ગયા પછી તેના પાછા કયાંથી જન્મ થવાના ? (અર્થાત્ પુનર્જન્મ નથી)’ તેમ ઈશ્વર વગેરે પણુ નથી. માટે ખાઈ પીને ખુશ રહેવું. આમ મિથ્યા જ્ઞાનથી મૂખ એ મુકબકાટ્ કર્યાં કરે છે,