________________
"૭૦
ભર્તુહરિકૃત માટે તૃણના અંકુર અને સુવા માટે પૃથ્વી બનાવી છે અને સંસારસાગર તરવાને સમર્થ બુદ્ધિવાળા માણસને માટે એ વૃત્તિ કરેલી છે કે, જે વૃત્તિને શોધતાં ઝટ સવે ગુણેની સમાપ્તિ થઈ જાય છે. ૯૭
તાત્પર્ય–સર્પાદિ અંડજ અને પશુ વગેરેને માટે બ્રહ્માએ જે આજીવિકા–વૃત્તિ બાંધેલી છે, તેથી જૂદી જ આજીવિકાવૃત્તિ મનુષ્યને માટે નિર્માણ કરેલી છે–એટલે કે મનુષ્યમાં બુદ્ધિ મૂકેલી છે અને તે બુદ્ધિવડે કરીને મનુષ્ય આ સંસારસમુદ્રને તરવાને સમર્થ થઈ શકે છે, જેથી સંસારાણવ તરાય એ જ વૃત્તિને મનુષ્ય સ્વીકાર કરે જોઈએ.
અવર-શું ઈચ્છવા યોગ્ય છે? * * मन्दाक्रान्तावृत्त
गङ्गातीरे हिमगिरिशिलाबद्धपद्मासनस्य ब्रह्मध्यानाभ्यसनविधिना योगनिद्रां गतस्य । किं तैर्भाव्यं मम सुदिवसैर्यत्र ते निर्विशङ्काः संप्राप्स्यन्ते जरठहरिणाः शङ्गकण्डूविनोदम् ॥९८॥
ગંગાના તીર ઉપર હિમગિરિની શિલાપર પદ્માસન વાળી વિધિ પ્રમાણે બ્રહ્મનું ધ્યાન ધરીને, રોગનિદ્રાને પામેલાં એવા મારા શરીરને નિઃશંક થઈને ઘરડાં હરણું પોતાનાં શિંગડાં ઘસે, એવા મારા તે સુદિવસે જાવ. ૯૮
અર્થા–ઘરડાં હરણું પિતાનાં શિંગડાં ઘસે તે પણ સમાધિ છૂટે નહિ એવી બ્રહ્મધ્યાનલીન યુગનિદ્રાને પ્રાપ્ત થયેલા તે દિવસે જ શુભ દિવસે ગણાય છે.
અવ –તૃષ્ણારહિત યોગીઓને જ ધન્ય છે. स्रग्धरावृत्त पाणिः पात्रं पवित्रं भ्रमणपरिगतं भक्षमक्षय्यमन्नं विस्तीर्ण वस्त्रमाशासुदशकममलं तल्पमस्वल्पमुर्वी ।