________________
તાવ આવે છે ત્યારે તાવની વેદનાના કારણે પગ માંડવા માટે પણ વિવલ એવા તેને આકુલ બન્યા વિના જવાની ઈચ્છા હોવા છતાં તે રીતે તે જઈ શકતો નથી. આવા વખતે કાંટાના વિદન કરતાં પણ અધિક એવું જ્વરવિન આવે છે. તે વિદનનો જય કરવાથી શરીરની આકુલતા રહેતી નથી. તેથી . એ જ્વરવિનય ખૂબ જ સારી રીતે, જવાની પ્રવૃત્તિનું કારણ બને છે. જ્વરવિદનજયસમાન મધ્યમ-વિદનજય છે. મોક્ષમાર્ગમાં પ્રયાણ કરનારાને જ્વરજેવા, શરીરની અંદર ઉત્પન્ન થનારા રોગાદિ પરિસહ સ્વરૂપ વિદનો આવતાં હોય છે. એવા રોગાદિ પરીસહોથી અભિભૂત થયેલા મુમુક્ષુ વિશિષ્ટ રીતે ધર્મારાધન કરવા કોઈ પણ રીતે સમર્થ બનતા નથી. તાવની જેમ શરીરદુઃખોનો જય કરવાથી મુમુક્ષુ આત્માઓ સારી રીતે ધર્મની આરાધના કરવા સમર્થ બને છે.
માર્ગે પ્રવર્તેલા પુરુષને જેમ દિમોહ દિશાભ્રમ) થાય તેમ મુમુક્ષુજનને મોહવિદનનો સંભવ છે. એ વિદનના કારણે પરાભવ પામેલાને; બીજા લોકો મુસાફરો] વારંવાર માર્ગ બતાવી આગળ જવાની પ્રેરણા કરતા હોય તો પણ કોઈ પણ રીતે આગળ જવાનો ઉત્સાહ પ્રગટતો નથી. અહીં મોક્ષમાર્ગના પ્રયાણના વિષયમાં દિમોહ-સ્વરૂપ ગમનના વિદનજેવું વિદન મિથ્યાત્વ અવિરતિ વગેરેના કારણે ઉત્પન થયેલ મનના વિભ્રમસ્વરૂપ છે. મિથ્યાત્વ કે અવિરતિ વગેરે દોષના નિરાકરણથી દિમોહ જેવા ઉત્કૃષ્ટ વિનનો જય થાય છે. તેથી મનનો વિભ્રમ દૂર થવાના કારણે મોક્ષમાર્ગસ્વરૂપ ધર્મમાર્ગમાં નિરનાર પ્રયાણની પ્રવૃત્તિ થવાથી મોક્ષગમન