SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અકાળ- ઉસમજી અનુષ્ઠાનને જિજ્ઞાસુઓએ કોઈ સુયોગ્ય વિદ્વાન પાસેથી એ સમજી લેવું જોઈએ. .. અધિકૃત ધર્માનુષ્ઠાનમાં શુભસારભૂત ઉપાયસંગત પ્રવૃત્તિ; પ્રયત્નાતિશયથી શકય બને છે. નિદ્રા, અનાદર, વિકથાદિ પ્રમાદના અભાવની ભાવનાથી જે પ્રયત્ન થાય છે; તે પ્રયત્નને પ્રયત્નાતિશય કહેવાય છે. આવા પ્રયત્નાતિશયથી થનારી પ્રવૃત્તિ પણ પૂર્વે જણાવ્યા મુજબ અકાળે ફળની ઈચ્છા સ્વરૂપ ઉત્સુકતાથી રહિત હોવી જોઈએ. કારણ કે અકાળ-ઉત્સુકતા ખરી રીતે આર્તધ્યાનસ્વરૂપ છે. આથી સમજી શકાશે કે- જે ધર્માનુષ્ઠાન કરવાનું નિશ્ચિત કર્યું છે; તે પૂજાદિ અનુષ્ઠાનને શુભસારભૂત ઉપાયથી સંગત પ્રવૃત્તિસ્વરૂપ બનાવવાથી તે હેતુશુદ્ધ અનુષ્ઠાન બને છે. અને પ્રયત્નાતિશયથી થયેલી એ પ્રવૃત્તિ સૂક્યથી રહિત હોવાથી સ્વરૂપશુદ્ધ અને અનુબન્ધશુદ્ધ બને છે. આવા પ્રકારની પ્રવૃત્તિ આમ જોઈએ તો ક્રિયા સ્વરૂપ છે. પરન્તુ ખરી રીતે તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવાનો જે આશયવિશેષ છે તેને પ્રવૃત્તિ નામનો આશય કહેવાય છે. - યોગવિંશિકા'ની ટીકામાં પૂજ્યપાદ મહા-મહોપાધ્યાયજી મહારાજાએ “પ્રવૃત્તિ' નામના આશયનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે - પૂજા વગેરે જે અનુષ્ઠાન કરવાનું આપણે નિશ્ચિત કર્યું છે એ ઘર્મસ્થાનને ઉદ્દેશીને, તે તે ધર્મસ્થાનના જે ઉપાયો છે, તે તે ઉપાયસંબન્ધી ઉત્કટ પ્રયત્નને પ્રવૃત્તિ આશય કહેવાય છે. આ પ્રયત્નાતિશય [ઉત્કટ પ્રયત્ન “આ અનુષ્ઠાન આ પ્રમાણે કરવાનું છે?—આવા પ્રકારના અધ્યવસાય [પરિણામ અનુભવી પી છે તેની ટીકાશયનું
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy