________________
સારભૂત ઉપાયથી અત્યન્ત સંગત અને ઉત્સુકતાથી રહિત એવી પ્રવૃત્તિ થાય છે, જે “પ્રવૃત્તિ' નામના આશયથી સહિત હોય છે. અહીં યાદ રાખવું જોઈએ કે વેઠ ઉતારવા સ્વરૂપે કરાતી ક્રિયાઓ જેમ પ્રણિધાનાદિશૂન્ય હોય છે તેમ ફળની ઉત્કટ ઈચ્છાથી ત્વરા-ઉતાવળથી કરાતી ક્રિયા પણ પ્રવૃત્તિ - આશયથી રહિત બને છે. પ્રણિધાનપૂર્વકનું પણ તે તે અનુષ્ઠાન પ્રવૃત્તિ' નામના આશયથી સહિત કઈ રીતે થાય - એ જણાવવાનું તાત્પર્ય હોવાથી વેઠ ઉતારવા સ્વરૂપે થયેલ અનુષ્ઠાનનો અહીં વિચાર કર્યો નથી. - “તવૈવ તુ પ્રવૃત્તિઃ....” આ આઠમી ગાથાનો પરમાર્થ સ્પષ્ટ રીતે જણાવવા પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ન્યાયની પરિભાષામાં ફરમાવ્યું છે કે અધિકૃત પૂજા વગેરે અનુષ્ઠાનને ઉદ્દેશ્ય બનાવીને જે પ્રવૃત્તિ છે તે; સુન્દર અને સારભૂત (નૈપુણ્યથી યુતિ) વિચાર - વિમર્શાદિસ્વરૂપ ઉપાયથી અત્યન્ત સદ્ગત હોવી જોઈએ. આવી પ્રવૃત્તિના કારણે અનુષ્ઠાન સિદ્ધ થાય છે. અનુષ્ઠાન (પૂજાદિ અનુષ્ઠાન) સાધ્ય છે. તેને સિદ્ધ કરવા માટે જે ઉપાય સેવવામાં આવે છે; તે ઉપાય સાધન છે. એ સાધનનું સાધ્ય અનુષ્ઠાન છે. તેથી ઉપાયસંબન્ધિની પ્રવૃત્તિથી સમ્બધ સાધ્ય છે. આને જ સાધ્યત્વસ્વરૂપ વિષયરૂપે સબંધ - ઉપાયસદ્ગત પ્રવૃત્તિ કહેવાય છે. ઉદ્દેશ્ય અને સાધ્યનો ભેદ જેઓ સમજી શકે છે તેઓ સ્પષ્ટ રીતે સાધ્યત્વાખ્યવિષયતાને સમજી શકે છે. સામાન્ય રીતે ફલવિષણિી પ્રવૃત્તિ અને તેના ઉપાયવિષણિી પ્રવૃત્તિનો જે ભેદ છે તે ભેદ બંને વિષયતામાં છે.