________________
જે ફળ પ્રાપ્ત થતું હોય છે તે પણ અમુક કાળે જ પ્રાપ્ત થતું હોય છે. ખૂબ જ વ્યવસ્થિત રીતે કોઈ પણ જાતના પ્રમાદાદિને સેવ્યા વિના કરાયેલી છે તે પ્રવૃત્તિનું ફળ અમુક જ કાળે મળે છે. પરંતુ તેના અનવસરે નથી જ મળતું. અનવસરે ફળની ઈચ્છા રાખીએ તો પ્રવૃત્તિનું કોઈ ફળ તો મળવાનું નથી જ. પરન્તુ ફળની ઉત્સુકતાના કારણે વસ્તુતઃ આર્તધ્યાન થાય છે. સૂર્ય રાખવાનું ખરી રીતે અનુચિત છે. સાધનનો ઉપયોગ યોગ્ય રીતે કરવાથી સામગ્રી વિદ્યમાન હોય તો ચોક્કસપણે ફળની પ્રાપ્તિ થતી જ હોય છે. મુમુક્ષુ આત્માઓએ જે કોઈ પ્રયત્ન કરવાનો છે તે સાધનની પ્રાપ્તિ અને તેના સુયોગ્ય ઉપયોગ માટેફળની અધીરતા કોઈ પણ રીતે ફળની પ્રાપ્તિનું કારણ બનતી નથી. આ ગાથામાં પ્રવૃત્તિનું વર્ણન કરતી વખતે “ગૌસુવર્ચાવિવર્ણિતા' આવો ઉલ્લેખ કર્યો છે. તેનો ભાવાર્થ સ્પષ્ટ છે કે કાર્ય કરતી વખતે ઉતાવળ એટલે કે ઈચ્છાનો અતિરેક નહિ હોવો જોઈએ.
“વોર્વિશિક્ષા’ની ટીકામાં “ગૌસુવવિર્નતાનો અર્થ જણાવતી વખતે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ફરમાવ્યું છે કે–શરૂ કરેલી ક્રિયા ઝટ પૂરી થાય એવા પ્રકારના
સુકયથી રહિત એવી પ્રવૃત્તિ હોવી જોઈએ. એનું તાત્પર્ય પણ સ્પષ્ટ જ છે. સામાન્ય રીતે ફળની અઘરતા ક્રિયામાં ઉતાવળ કરાવતી હોય છે. તેવા પ્રકારની ફળની ઉત્કંઠા ન હોય તો ક્રિયા ઝટ પૂર્ણ થાય એવી ઈચ્છાનું ખરી રીતે કોઈ કારણ નથી. આથી સમજી શકાશે કે– વિવક્ષિત પૂજા વગેરે અનુષ્ઠાનના વિષયમાં પુષ્કળ પ્રયત્ન કરવાથી શુભ અને