SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદર ઉપાય વડે કુશળતાપૂર્વક થતી નથી. એવી ધર્મની પ્રવૃત્તિને અનન્તજ્ઞાનીઓ પ્રવૃત્તિ' નામના આશયવાળી માનતા નથી. માત્ર આ લોકમાં જ ફળને આપનારી અને શારીરિક દ્રષ્ટિએ જ લાભ કરનારી ક્રિયાઓ કરતી વખતે જે કુશલતા દર્શાવાય છે અને સુંદર કોટિના ઉપાયોનું સેવન કરાય છે, એવી કુશળતા વગેરેનાં દર્શન, પૂજા વગેરે ધર્માનુષ્ઠાનમાં ભાગ્યે જ થાય છે. આવડત વગરના અને સામાન્યસ્થિતિના માણસો ઘર્માનુષ્ઠાન કરતા હોય એવું જ મોટા ભાગે જોવા મળતું હોય છે. એવી ક્રિયાઓ પ્રવૃત્તિ” નામના આશયથી શૂન્ય હોય છે. શ્રીવીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞાનું પાલન અને ઉદારતાપૂર્વક કોઈ પણ ધર્માનુષ્ઠાન કરવાનો આગ્રહ રખાય તો ધર્માનુષ્ઠાન, પ્રવૃત્તિ નામના આશયથી ચોક્કસ જ યુકત બનશે. એવા આશયને પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ ધર્માનુષ્ઠાન વિવક્ષિત ફળને આપવા સમર્થ નહિ બને. આ રીતે તે તે અનુષ્ઠાન કરતી વખતે પોતાની સમગ્ર શક્તિનો ઉપયોગ કરવાથી તે તે અનુષ્ઠાનો પ્રયત્નાતિશયથી થવાના કારણે ઉપર જણાવ્યા મુજબ પ્રવૃત્તિ’ નામના આશયથી સહિત બને છે. આવું પણ અનુષ્ઠાન ઉત્સુકતાથી રહિત હોવું જોઈએ. ફળની ઉત્કટ ઈચ્છા; જ્યારે અનવસરે - અકાલે ફળની ઈચ્છા સ્વરૂપ બને છે ત્યારે તેને ઉત્કંઠા - ઉત્સુકતા કહેવાય છે. જે ફળને પ્રાપ્ત કરવા માટે જે અનુષ્ઠાનની પ્રવૃત્તિ શરૂ કરી છે, એ જો સુવ્યવસ્થિત હશે તો નિશ્ચિતપણે તેનું ફળ મળવાનું છે જ. ખેતી વગેરેના કારણે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy