________________
જણાતો ન હોવા છતાં એ આશયવિશેષના કારણે થનારી બાહ્ય ક્રિયાથી તેનું અનુમાન કરી શકાય છે. તેથી જ અહીં પ્રવૃત્તિનો ખ્યાલ આપતી વખતે જે ‘શુમતારોપાવસક્તા’.... વગેરે છંદોથી વિશેષણો આપ્યાં છે તે બધાં; બાહ્ય તે તે ક્રિયા દ્વારા સમજી લેવાનાં છે. જે અનુષ્ઠાન આપણે કરવાનું છે તે અનુષ્ઠાનનો જે ઉપાય છે; તે ઉપાય સુંદર હોવો જોઈએ અને નિપુણતાથી યુક્ત હોવો જોઈએ. કહેવાનો ભાવ એ છે કે જે પૂજા વગેરે ધર્માનુષ્ઠાન કરવાનું છે; તેના ઉપાયસ્વરૂપ ફૂલ મેળવવા વગેરેની જે પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ જયણાવાળી હોય તો તે સુંદર છે; અને તે પ્રવૃત્તિ કરતી વખતે એવી રીતે કરવી જોઈએ કે જોનારાને એમ જ લાગે કે કરનારો ખૂબ જ હોશિયાર છે—આવું જણાય તો તે ઉપાયની પ્રવૃત્તિ નૈપુણ્યથી યુક્ત મનાય છે. આ રીતે શુભ અને સારભૂત ઉપાયથી અત્યન્ત સદ્ગત પ્રવૃત્તિ-વિવક્ષિત ધર્માનુષ્ઠાન-પ્રવૃત્તિ નામના આશયથી યુક્ત હોય છે. વિવક્ષિત પૂજાદિ ધર્માનુષ્ઠાનમાં અતિશય પ્રયત્ન કરવાી પ્રવૃત્તિ શુભ અને સારભૂત ઉપાયથી અત્યન્ત સંગત બને છે.
દરરોજની લૌકિક પ્રવૃત્તિના વિષયમાં ‘પ્રવૃત્તિ’ આશયનો વિચાર કરીએ તો ખૂબ જ સ્પષ્ટ રીતે પ્રવૃત્તિ’ નામના આશયનો ખ્યાલ આવશે. દરરોજની સ્નાનાદિથી માંડીને રાત્રે શયન વગેરેની જે પ્રવૃત્તિ છે તે બધી જ પ્રવૃત્તિઓ મોટા ભાગે ખૂબ જ કુશલતાપૂર્વક અને સુંદર ઉપાયપૂર્વક થતી હોય છે. પરન્તુ કોઈવાર જ કરાતી પણ ધર્મપ્રવૃત્તિ પ્રાયઃ કરીને
૮૯