________________
કરીએ તો તે અનુષ્ઠાન કોઈના પણ અહિતનું કારણ બનતું નથી. પરંતુ બીજાની યોગ્યતા મુજબ એ અનુષ્ઠાન પર ઉપકારનું કારણ બનતું હોય છે. શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ અનુષ્ઠાન ન થાય તો તે પર-ઉપકારનું કારણ નહિ બને. આથી સમજી શકાશે કે પરોપકારના આશયને મુખ્ય બનાવનારું અનુષ્ઠાન વાસ્તવિક રીતે પ્રણિધાનયુક્ત છે. સાતમી ગાથાથી વર્ણવેલું પ્રણિધાનનું સ્વરૂપ બરાબર સમજી લેવું જોઈએ. ૩-બા
પ્રણિધાન નામના આશયનું નિરૂપણ કરીને હવે પ્રવૃત્તિ નામના આશયનું સ્વરૂપ જણાવાય છે
तत्रैव तु प्रवृत्तिः शुभसारोंपायसंगतात्यन्तम् । अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता' चैव ॥३-८॥
આપણે જે અનુષ્ઠાન કરવાનું ચોક્કસ કર્યું છે તે અનુષ્ઠાનના જ વિષયમાં તે ધર્માનુષ્ઠાનસંબન્ધી અતિશય પ્રયત્નના કારણે ઉઠાથી રહિત, સુંદર સારભૂત ઉપાયથી અત્યન્ત સદ્ગત પ્રવૃત્તિ થાય છે—” આ પ્રમાણે ત્રીજા ષોડશકની આઠમી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે જે અનુષ્ઠાન કરવાનું આપણે નક્કી કર્યું છે તે વિવક્ષિત પૂજાદિ ધર્માનુષ્ઠાનના વિષયમાં જે પ્રવૃત્તિ છે તેનું સ્વરૂપ અહીં વર્ણવવામાં આવ્યું છે. અહીં જે પ્રવૃત્તિનું સ્વરૂપ વર્ણવાય છે તે પ્રવૃત્તિ ક્રિયા સ્વરૂપ નથી. પરન્તુ આશય-આત્માના પરિણામવિશેષ-સ્વરૂપ છે. એ આશય સામાન્યજનો દ્વારા