________________
અને તેથી તે અનુષ્ઠાન મોક્ષસાધક નહીં બને એ સમજી શકાય છે. નિરાઘવસ્તુવિષયમ્-આ પદથી સૂચવેલા અર્થને જણાવતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ફરમાવ્યું છે કે જે અનુષ્ઠાન કરવાનું ધાર્યું છે તે અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિ માટે દરરોજ જે કરવું જોઈએ તે નિરવદ્ય [પાપરહિત] વસ્તુનું જે ધ્યાન [સતત ઉપયોગ] છે-તેને પ્રણિધાન કહેવાય છે. ખૂબ જ સૂક્ષ્મ રીતે જણાવેલી એ વાતનો ઉપયોગપૂર્વક વિચાર કરવાથી એનો પરમાર્થ સમજી શકાશે. મુમુક્ષુ આત્મા સામાન્ય રીતે જ્યારે પણ ઘર્મ કરવાનો નિર્ણય કરે છે ત્યારે તે ધર્માનુષ્ઠાન મોક્ષને આપનારું બને એવી ભાવના હોય-એ સમજી શકાય છે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આરંભેલું ઘર્માનુષ્ઠાન સતત ચાલુ રાખવાનું લક્ષ્ય હોવું જોઈએ. અન્યથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ ધર્માનુષ્ઠાન ફલમોક્ષનું કારણ ન બને તો માનવું પડે કે ધર્માનુષ્ઠાન પૂર્ણ-સિદ્ધ થયું નથી. એની સિદ્ધિ થાય એ માટે દરરોજ સિદ્ધિને અનુકૂળ જે કરવાની જરૂર છે; તેનો ખ્યાલ મુમુક્ષુએ રખવો જોઈએ-આ પ્રણિધાન છે.
તેમ જ આ પ્રમાણે પૂર્વે જણાવ્યા મુજબ પ્રતિજ્ઞાથી આત્માને વિચલિત બનાવ્યા વિના સમય, વિધિ વગેરેના ઉપયોગપૂર્વક કરાતું અને નિરવદ્ય-વિષયાદિ-સ્વરૂપવાળું અનુષ્ઠાન પણ પરોપકારનું કારણ બનવું જોઈએ. પુરુષોની દરેક પ્રવૃત્તિ પોતાના સ્વાર્થ-પ્રયોજનને ગૌણ બનાવી પરોપકારને મુખ્ય બનાવનારી હોય છે. આમ પણ શ્રી તીર્થકર પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ કોઈ પણ અનુષ્ઠાન