________________
ધર્મીજનને ધર્માત્માઓ પ્રત્યે દ્વેષ નહિ આવે. પરિણામે ધર્મ પ્રત્યેના દ્વેષથી દૂર રહેવાશે. ધર્મ પ્રત્યેનો દ્વેષ ખૂબ જ ખરાબ હોવાથી તેનાથી દૂર રહેવું જોઈએ. આપણી અપેક્ષાએ જેમને ઘર, દુકાન કે સંસારની કોઈ પણ વસ્તુ ખરાબ-ગુણહીન મળી હોય ત્યારે તે જોઈને તેમની પ્રત્યે દ્વેષ આવતો નથી. પરંતુ આપણી શક્તિ હોય તો તેમની પ્રત્યે કૃપાનો પરિણામ પ્રગટે છે. આવું જ ધર્માનુષ્ઠાનના વિષયમાં પણ થવું જોઈએ ને? આપણી અપેક્ષાએ ધર્મથી ન્યૂન એવા આત્માઓ પ્રત્યે દ્વેષ કરવાનું ખરી રીતે કોઈ જ કારણ નથી. સ્વકર્મની વિચિત્રતાને લઈને જેઓ આપણી અપેક્ષાએ ગુણહીન અવસ્થાને પામ્યા છે, તેઓ ખરેખર જ કરુણાપાત્ર છે. તેઓ કોઈ પણ રીતે ગુણસંપન્ન બને એ રીતે પ્રયત્ન કરવો જોઈએ. એના બદલે એવા આત્માઓ પ્રત્યે દ્વેષ કરીએ તો આપણું અનુષ્ઠાન પ્રણિધાનશૂન્ય બને, જેથી વિવક્ષિત-ઈષ્ટ મોક્ષસ્વરૂપ ફળની સિદ્ધિ નહિ થાય.
સાતમી ગાથાના ઉત્તરાર્ધ્વમાં પ્રણિધાનનું સ્વરૂપ સમજાવતાં જણાવ્યું છે કે જે અનુષ્ઠાનનો વિષય સાવદ્યપાપનો ત્યાગ કરવાથી નિરવદ્ય છે-તે અનુષ્ઠાન પ્રણિધાનશુદ્ધ છે. સામાન્ય રીતે જે કોઈ અનુષ્ઠાન કરવાનું આપણે ધાર્યું હોય તે ધર્માનુષ્ઠાનસંબંધી વસ્તુ [ઉપાય નિરવદ્ય હોવી જોઈએ, જેથી નિરવદ્ય તે તે ઉપાયોના કારણે કાલાન્તરે ચોક્કસપણે ધર્માનુષ્ઠાન સિદ્ધ થાય છે. સાવદ્ય ઉપાયોના આસેવનથી ધર્માનુષ્ઠાન સિદ્ધ નહીં થાય. સાવદ્ય-પાપયુક્ત ઉપાયોના કારણે જે અનુષ્ઠાન થશે તે નિરવદ્ય નહીં હોય