SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પદથી સાતમી ગાથામાં પ્રણિધાનનું સ્વરૂપ સમજાવવાની શરૂઆત કરી છે. તેમણે સ્થિતિમતુ આ પદનો સામાન્યાર્થ ઉપર જણાવ્યા મુજબ કાલાદિની મર્યાદામાં સ્થિર રહેવું, વિચલિત ન બનવું-આવો છે. એનો વિચાર કરવાથી સમજાશે કે આપણે પ્રણિધાનપૂર્વક અનુષ્ઠાનને કેમ કરી શકતા નથી. ખરી રીતે દરેકેદરેક અનુષ્ઠાન પ્રણિધાનપૂર્વકનું જ હોવું જોઈએ. અન્યથા એનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થતું નથી. આજ્ઞા મુજબ ધર્મ કરવાના બદલે ઈચ્છા મુજબ ઘર્મ કરવાનું ગમતું હોવાથી પ્રણિધાનથી રહિત ઘર્મ થાય છે. - “સમયે સ્થિતિમા’ આ પ્રણિધાનનો અંશ છે. પ્રણિધાનના બીજા અંશનું નિરૂપણ “નવઘઃ પાનુ ચવ' આ પદથી કરાય છે. પ્રધાન અહીં વિશેષ્ય છે. તેનાં વિશેષણ “સમયે સ્થિતિનત’ વગેરે છે. પોતે જે ઘર્મ આરાધવાની પ્રતિજ્ઞા કરી છે તે ધર્મની અપેક્ષાએ જે ધર્મ નીચો છે તે ધર્મના આરાધકોની પ્રત્યે એટલે કે પોતે જે ધર્મ આરાધે છે તે ધર્મની આરાધના જેઓ કરતા નથી, તે આત્માઓ પ્રત્યેની કૃપાથી અનુસરતું જે અનુષ્ઠાન છે તે અનુષ્ઠાનને પ્રણિધાનયુક્ત અનુષ્ઠાન કહેવાય છે. પરંતુ પોતાની અપેક્ષાએ તે આત્માઓ ગુણહીન હોવાથી તેમની ઉપર દ્વેષ આવે તો એવા ષયુક્ત અનુષ્ઠાનને પ્રણિધાનવાળું અનુષ્ઠાન ગણતા નથી. આમ પણ ધર્મજનોએ કોઈની ઉપર દ્વેષ કરવાનો નથી. આવા સંયોગોમાં કોઈને આપણા કરતાં ગુણહીન દેખીને તેમની ઉપર તો કોઈ પણ રીતે દ્વેષ આવવો ના જોઈએ, પરંતુ તેમની ઉપર તો એકમાત્ર કૃપાં રાખવી જોઈએ. આવી સ્થિતિ જળવાય તો મોટા ભાગે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy