SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અનુષ્ઠાન “સ્થિતિમ છે. આવું સ્થિતિમત્ત્વ જ અનુષ્ઠાનને સપ્રણિધાન બનાવતું હોય છે. પૂજા વગેરે કોઈ પણ અનુષ્ઠાન, શ્રી તીર્થંકર પરમાત્માએ ક્યારે કરવાનું ફરમાવ્યું છે; એની વિધિ કઈ જણાવી છે અને પરમતારક એ અનુષ્ઠાન કયા આશયથી ફરમાવ છે-વગેરે નિરંતર યાદ રાખવું જોઈએ, જેથી તે તે અનુષ્ઠાન કરતી વખતે ઉપયોગનું સાતત્ય રહેવાથી ઉપયોગવાળું તે અનુષ્ઠાન પરિશુદ્ધ બને છે, જેમાં ઉપર જણાવ્યા મુજબનો પ્રણિધાનનો અંશ મુખ્યપણે કારણ બને છે. અપ્રશસ્ત અર્થ અને કામની લગભગ દરેક પ્રવૃત્તિ ઉપર જણાવ્યા મુજબ પ્રણિધાનયુક્ત બનતી હોય છે. તે તે પ્રવૃત્તિના સમય, વિધિ કે ઉદ્દેશાદિનું ભાન સતત રહેતું હોય છે. પરંતુ ધર્મનાં અનુષ્ઠાનો વખતે એવું ભાન લગભગ રહેતું નથી. આપણી દરરોજની અથવા તો વિશિષ્ટ પ્રસંગ વખતની બધી જ ક્રિયાઓમાં ભાગ્યે જ પ્રણિધાન-શૂન્યતા જોવા મળે છે. પરંતુ ખૂબ જ અલ્પ પ્રમાણમાં થનારી ધાર્મિક ક્રિયાઓમાં ભાગ્યે જ પ્રણિધાન જોવા મળે. શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલાં પૂજાદિ અનુષ્ઠાનો મધ્યાહ્નાદિ સમયે તે તે શુદ્ધ દ્રવ્યનો ઉપયોગથી શ્રી સિદ્ધપદને પ્રાપ્ત કરવા માટે કરવામાં છે. પૂજાદિ અનુષ્ઠાનો કરનારા મુમુક્ષુ આત્માઓએ એનો સતત ઉપયોગ રાખવો જોઈએ. અયોગ્ય કાળે કરાતાં અથવા તો યોગ્ય કાળે પણ જેમ-તેમ કરાતાં ખેતી વગેરેનાં કાર્યો જેમ હાનિકારક છે તેમ પ્રણિધાન-શૂન્યપણે કરાતાં ધર્માનુષ્ઠાનો પણ હાનિકારક-તુચ્છ છે. શિવાનં તત્સમયે સ્થિતિમ-આ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy