________________
હવે પ્રણિધાનાદિ પાંચ આશયમાંના પ્રથમ પ્રણિધાન” નામના આશયનું લક્ષણ જણાવાય છે -
प्रणिधानं तत्समये स्थितिमत्तदधः कृपानुगं चैव । निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ॥३-७॥
પ્રણિધાન તેને કહેવાય છે કે જે ધર્મનું કોઈ પણ નાનું કે મોટું અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું હોય તે વખતની પ્રતિજ્ઞા સમયે જે અવસ્થા હતી તે અવસ્થામાં સ્થિર રહેવું; પોતાની અપેક્ષાએ જેઓ હીન ગુણવાળા છે તેમની ઉપર દ્વેષ કર્યા વિના કૃપા રાખવી; જે અનુષ્ઠાન કરીએ છીએ તેમાં સાવદ્ય-પાપનો અંશ નહિ હોવો જોઈએ અર્થાત્ તે નિરવદ્યવિષયવાળું હોવું જોઈએ; અને પરોપકાર-પ્રધાન હોવું જોઈએએ અનુષ્ઠાનને પ્રણિધાનીથી શુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. સાતમી ગાથાનો એ સામાન્યાર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જે કોઈ અનુષ્ઠાન કરવાનું ચોક્કસ કરીએ ત્યારે તે અનુષ્ઠાનનો સમય, તેની વિધિ અને તેનો ઉદ્દેશ વગેરેની જે મર્યાદા છે; તે મર્યાદાના પાલનથી આપણે આપણા આત્માને વિચલિત થવા દેવો નહિ જોઈએ. જ્યાં સુધી એ અનુષ્ઠાન સિદ્ધ થતું નથી ત્યાં સુધી તે અનુષ્ઠાનની સિદ્ધિનાં જે નિમિત્ત-કારણ છે; તે કારણોમાં આપણું ચિત્ત લીન બની રહેવું જોઈએ. જેથી તે તે અનુષ્ઠાનના સમય, વિધિ અને ઉદ્દેશાદિ વિષયમાં સંસ્કારો સદૈવ રહેતા હોય છે. આ રીતે સંસ્કારરૂપે અનુષ્ઠાનમાં આપણો આત્મા સ્થિર રહે છે, વિચલિત બનતો નથી. જે અનુષ્ઠાનમાં આપણો આત્મા વિચલિત બનતો નથી તે