________________
માત્રથી સિદ્ધિનું કારણ બને છે-એમ જણાવવાનું તાત્પર્ય હોતું નથી. પરંતુ પુષ્ટિ [પુણ્યનો ઉપચય-સંચય] અને શુદ્ધિ [પાપનો વિગમ-હ્રાસ]-એ બન્નેના ઉત્તરોત્તર અનુબંધથી તે તે અનુષ્ઠાનો મોક્ષનું કારણ બનતાં હોય છે. એ અનુબંધની પ્રાપ્તિ માટે પ્રણિધિ, પ્રવૃત્તિ, વિઘ્નજય વગેરે પાંચ શુભાશયોને પ્રાપ્ત કરી લેવા જોઈએ. અન્યથા એ શુભાશય વિનાનાં એ અનુષ્ઠાનો મોક્ષનું કારણ નહિ બને. જેને ઉદ્દેશીને જે પ્રવૃત્તિનો આરંભ કર્યો હોય તે પ્રવૃત્તિ તે ઉદ્દેશની સિદ્ધિનું કારણ ન બને તો કોઈ પણ બુદ્ધિમાનને ચિંતા થાય એ સ્વાભાવિક છે. અર્થ-કામ વગેરેનીં સિદ્ધિના પ્રસંગે-એ બરાબર સમજાય છે. પરંતુ મોક્ષની સિદ્ધિના વિષયમાં એ સમજી લેવાનું અને સમજાવવાનું ખૂબ જ અઘરું પડે છે. અનાદિકાળના કુસંસ્કારો એ વાતને સમજવા જ દેતા નથી. કુસંસ્કારના કારણે થતી પ્રવૃત્તિ, થોડો પ્રયત્ન વધારે કરવામાં આવે તો હજી અટકી જાય; પરંતુ કુસંસ્કારોને ભૂંસવાનું ખૂબ જ કપરું છે. પ્રવૃત્તિ [કુપ્રવૃત્તિ] અટકાવવાનો પ્રયત્ન થાયએ ઉચિત જ છે. પણ એની સાથેના કુસંસ્કારોને દૂર કરવાનો વિચાર પણ આવે નહિ તો ગમે ત્યારે તે તે દુષ્ટપ્રવૃત્તિનું ચક્ર ફર્યા જ કરશે. માટે કોઈ પણ અનુષ્ઠાન વખતે પ્રણિધાનાદિ પાંચ આશયને પ્રાપ્ત કરી ભૂતકાળના એ કુસંસ્કારોને દૂર કરવા પ્રયત્ન કરવાનું ખૂબ જ આવશ્યક છે. ક્રિયાને તુચ્છ બનાવનારા એ કુસંસ્કારો વહેલામાં વહેલી તકે મુમુક્ષુઓએ દૂર કરવા જોઈએ. ॥૩-૬॥
***
'
૮૨