________________
ભિન્નગ્રંથિક જીવોને ગ્રંથિને ભેદવાથી જ નિર્મલ બોધ પ્રાપ્ત થાય છે. તેથી નિર્મલબોધના કારણે નિર્મલબોધવાળા આત્માઓને ઉપર જણાવ્યા મુજબ પ્રણિધાનાદિ પાંચ આશયનું ઉત્તમ સંવેદન થાય છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે તીવરાગ-દ્વેષની પરિણતિને દૂર કર્યા વિના પ્રણિધાનાદિ પાંચ આશયનો અનુભવ શક્ય નથી. અને એ વિના પુષ્ટિ કે શુદ્ધિ સાનુબંધ બને એ શક્ય નથી. સાનુબંધ જ પુષ્ટિ-શુદ્ધિ મોક્ષનું કારણ બને છે. આથી જ પ્રણિધાનાદિ-આશય-વિહીન ક્રિયાઓને તુચ્છકોટિની કહી છે. મોકલક્ષી ક્રિયાઓ મોક્ષનું કારણ ન બને તો તે તુચ્છઅસાર છે-એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ll૩-પા
પ્રણિધાનાદિ આશય કેટલા છે અને કયા છે-તે વર્ણવતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે -
प्रणिधिप्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगभेदतः प्रायः । - ઘર્મલરાધ્યાતિઃ શુભાશયઃ પચાSત્ર વિધી રૂ-દા
“પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ આ ભેદો[પ્રકારોને આશ્રયીને શાસ્ત્રોમાં મોટા ભાગે કર્તવ્યના ઉપદેશના પ્રસંગે પુષ્ટિ-શુદ્ધિના અનુબંધના વિષયમાં ધર્મના જાણકારોએ પાંચ પ્રકારનો શુભાશય વર્ણવ્યો છે.” છઠ્ઠી ગાથામાં જણાવેલી એ વાતનો પરમાર્થ એ છે કે-જ્યારે જ્યારે શાસ્ત્રોમાં કોઈ પણ અનુષ્ઠાનનો કર્તવ્ય તરીકે ઉલ્લેખ કરાય છે; ત્યારે તે તે કર્તવ્ય, સામાન્યપણે એક જ વાર કરવા