SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય અર્થ છે. આશય એ છે કે-આગળની ગાથામાં પ્રણિધાન વગેરે પાંચ આશયનું વર્ણન કરાશે. દરેક ક્રિયા વખતે એ પાંચે આશય [આત્મપરિણામ] અવશ્ય હોવા જોઈએ. અન્યથા એ આશય વિનાની કોઈ પણ ક્રિયા શુદ્ધ થતી નથી. ચિત્તમાં પુષ્ટિ અને દ્ધિ અને શિધ્ધાદિ ચ આશયોના અનુભવથી રહિત હોય તો તે પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધવાળાં નથી. અનુબંધવાળાં પુષ્ટિ અને શુદ્ધિ બનાવવા માટે મુમુક્ષુ જનોએ પ્રણિધાનાદિ પાંચ આશયોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી પ્રણિધાનાદિ આશયનું સંવેદન નહિ થાય ત્યાં સુધી સાનુબંધ, પુષ્ટિ અને શુદ્ધિ-એ બંન્ને પ્રાપ્ત નહિ થાય. સામાન્ય પુણ્ય અને સામાન્ય કોટિનો પાપક્ષય બંન્ને નિરનુબંધ હોવાથી વિશિષ્ટ ફલનું પ્રદાન કરી શકતાં નથી. વિશિષ્ટ ફલની પ્રાપ્તિ માટે અનુબંધની અપેક્ષા છે. અનુબંધના કારણે તે તે અનુબંધવાળા કારણનું અસ્તિત્વ અવિરત બનતું રહે છે અને એથી જ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કારણનું સાતત્ય ન હોય તો કાર્યસિદ્ધિ નહિ થાય-એ સમજી શકાય છે. આથી જ પ્રણિધાનાદિ પાંચ આશયનું સંવેદન [અનુભવ] કરવાનું અનિવાર્ય છે.’-એ સમજી શકનારા મુમુક્ષુ આત્માઓને તેવા પ્રકારના સંવેદનનો ઉપાય ગ્રંથકારશ્રીએ ગાથાના ઉત્તરાર્ધ્વથી જણાવ્યો છે. સંસારના સુખ ઉપરનો તીવ્ર રાગ અને દુઃખ ઉપરનો તીવ્ર દ્વેષ સ્વરૂપ આત્માના પરિણામને ગ્રંથિ કહેવાય છે. એ ગ્રંથિસ્વરૂપ આત્મપરૅિણામને જેઓએ ભેદી નાખ્યો છે, તે ભિન્નગ્રંથિક જીવો છે. એ ८०
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy