SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અઘરું નથી. અનંતજ્ઞાનાદિસ્વરૂપ આત્મગુણોના આવરણસ્વરૂપ જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અત્તરાય સ્વરૂપ જે ઘાતિકર્મ છે તેને અહીં પાપ તરીકે વર્ણવ્યું છે. એ જો સમજાય તો ચોક્કસ જ આત્માને તે તે આવરણોનો ક્ષય કરવા દ્વારા શુદ્ધ બનાવી શકાય. જ્ઞાનાવરણીય કર્માદિનો ક્ષય થવાથી અંશતઃ અથવા તો સર્વથા જે નિર્મલતા પ્રાપ્ત થાય છે; તેને અહીં શુદ્ધિ તરીકે વર્ણવી છે. ઘાતિકર્મને પાપ માનવાનું ઘણું જ કપરું છે. અનાદિકાળના કુસંસ્કારોને લઈને અશાતાવેદનીય, લાભાન્તરાય અને અપયશનામ-કર્મ વગેરે કર્મને પાપ માનવાનું ખૂબ જ પ્રસિદ્ધ છે. પરંતુ એના ઉદય કે ક્ષયથી જ્ઞાનાદિ ગુણોનો ઘાત કે આવિર્ભાવ થતો નથી. તકલીફ છે ઘાતિકર્મની, પરંતુ એ જણાતી નથી. વેદનીયાદિની તકલીફ ખરી રીતે નથી, પરંતુ તેની તકલીફ સદાને માટે લાગ્યા કરે છે. તેથી આત્મશુદ્ધિના ઉપાયોની પ્રાપ્તિ પછી પણ શુદ્ધિ મળતી નથી. દુઃખની પ્રાપ્તિ કે સુખના અભાવની પ્રાપ્તિ ચોક્કસ જ વેદનીયાદિ કર્મના ઉદયથી થઈ છે. પરંતુ એને પિડાકર બનાવ્યા વિના એની પ્રાપ્તિના કારણભૂત ઘાતિકર્મની પીડા અનુભવાય તો કર્મજન્ય દુઃખાદિનો અંત આવે. ધર્મીમાત્રનું ધ્યેય જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મનો ક્ષય કરી આત્મશુદ્ધિને પામવાનું હોવું જોઈએ. એના બદલે ધર્મથી અશાતાવેદનીયાદિ કર્મનો જ નાશ કરવાનું ધ્યેય હોય તો કોઈ પણ રીતે આત્મશુદ્ધિ પ્રાપ્ત નહિ થાય. દુઃખ કે સુખનો અભાવ વગેરે તો પાપનાં કાર્ય છે, તેને પાપસ્વરૂપ માનવાના બદલે તેના કારણભૂત મોહનીયાદિ ઘાતિકર્મને પાપ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy