________________
તૃતીયા વિભક્તિ સાર્થમાં વિહિત છે.] આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે રાગાદિનો વિગમ આગમસદ્યોગથી થતો હોવાથી ઉપર જણાવ્યા મુજબ સર્વ પ્રવૃત્તિ-નિવૃત્તિસ્વરૂપ ક્રિયા-એ આગમસદ્યોગ છે. ક્રિયા સ્વરૂપ આ આગમના સદ્યોગથી અથવા તો કારણને જ કાર્ય તરીકે ઉપચારથી વર્ણવીએ તો ક્રિયા સ્વરૂપ મલવિગમથી ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ થાય છે, જેનું સ્વરૂપ આગળની ગાથાથી વર્ણવાશે. ૩-૩
પૂર્વગાથામાં જણાવેલી પુષ્ટિ અને શુદ્ધિનું લક્ષણ, સ્વરૂપ તેમ જ ફલ જણાવાય છે.
पुष्टिः पुण्योपचयः शुद्धिः पापक्षयेण निर्मलता । अनुबन्धिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया ॥३-४॥
“પુણ્યના ઉપચયને પુષ્ટિ કહેવાય છે; પાપના ક્ષયથી થનારી પાપની નિર્મલતાને શુદ્ધિ કહેવાય છે; આ પુષ્ટિ અને શુદ્ધિ-બંનેના અવિચ્છિન્ન [સતત] પ્રવાહમાં ક્રમે કરી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ ધર્મ કરવાથી પુણ્યબંધ થાય છે; વધતા એવા તે પુણ્યને પુષ્ટિ કહેવાય છે. વધતા પુણ્યનો યોગ-સંબંધ પુષ્ટિસ્વરૂપ છે- એ સમજી શકાય છે. જ્યાં સંબંધ હોય ત્યાં સંબંધી હોય જ એ સ્પષ્ટ છે. આથી સંબંધ અને સંબંધી એક અપેક્ષાએ જુદા ન હોવાથી પ્રવર્ધમાન પુણ્ય અથવા તો તેનો આત્માની સાથે જે સંબંધ તે પુષ્ટિસ્વરૂપ છે-એ સમજવાનું