________________
રાગાદિ [રાગ, દ્વેષ અને મોહ ત્રણ જ મલ છે. આગમને અનુસરી થતા સદ્યોગના કારણે રાગાદિ મલનો વિગમ અપગમ-નાશ પામવું થાય છે. તેથી આગમને અનુસરી થનાર સદ્યોગસ્વરૂપ ક્રિયાથી ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ થાય છે.આ પ્રમાણે ત્રીજી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ મલ છે. ચિત્તને અશુદ્ધ બનાવનારા હોવાથી તે ત્રણને મલ તરીકે વર્ણવ્યા છે. એ ત્રણને છોડીને બીજી કોઈ પણ વસ્તુ ચિત્તને અશુદ્ધ બનાવતી નથી. તેથી રાગાદિ ત્રણ જ મલ છે. જોકે રાગ, દ્વેષ અને મોહ જાતિની અપેક્ષાએ એક એક છે; પરંતુ તે તે વિષયના અથવા તો મન્દ, મધ્યમ કે ઉત્કૃષ્ટ વગેરે ભેદની વિવેક્ષાથી તે વ્યક્તિ પરત્વે અનેકાનેક છે. અહીં રાગાદિમલની ત્રિતયતા જાતિની અપેક્ષાએ વર્ણવી છે. આ રાગાદિ મલનો વિગમ-વિનાશ આગમાનુસાર થનારા સદ્યોગથી થાય છે. આગમના યથાર્થ-પારમાર્થિક જ્ઞાનને અહીં આગમ સ્વરૂપે વર્ણવ્યું છે. એ આગમના કારણે જે સુંદર કોટિની પ્રવૃત્તિ થાય છે તેને આગમસયોગ કહેવાય છે. તે સદ્યોગ સામાન્યથી સુંદર ક્રિયાસ્વરૂપ છે. ખરી રીતે આગમના કારણે થનારી વિહિતની પ્રવૃત્તિ કે નિષિદ્ધની નિવૃત્તિ આગમના ઉપયોગથી યુક્ત હોય તો જ તે રાગાદિ મલના વિગમને કરનારી બને છે. પરન્તુ આગમના ઉપયોગથી શૂન્ય એવી એ ક્રિયાઓ રાગાદિ મલના વિગમને કરતી નથી. તેથી આગમસહિત સલ્ફિયાસ્વરૂપ જ અહીં આગમસદ્યોગ છે.-આથી સમજી શકાશે કે માનનામાનઃ સગપરિચ્છેસ્તન સાઃ અહીં