________________
વસ્તુ સમજવાનું જ નહિ, એવા જિજ્ઞાસુઓને સમજાવવાનું પણ કામ કપરું છે. આપણી અજ્ઞાનદશાને લઈને ગ્રંથમાંની કોઈ વસ્તુ સમજાય નહિ અથવા તો એ સમજવામાં થોડો ક્લેશ થાય ત્યારે એ વસ્તુનું શું કામ છે એવું મનથી વિચારવું જોઈએ નહિ. પરંતુ વહેલામાં વહેલી તકે આપણી અજ્ઞાનદશાને દૂર કરવા સુવ્યવસ્થિત પ્રયત્ન કરી લેવો જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિના અવરોધો દૂર કર્યા વિના અજ્ઞાનની નિવૃત્તિ કોઈ પણ રીતે શક્ય નહિ બને. અપ્રતિમ પુણ્યના ઉદયથી મળેલાં જ્ઞાનનાં સાધનોનો ઉપયોગ કરવાની યોગ્યતા મેળવી લેવાનું ખૂબ જ આવશ્યક છે. કોઈ વાત સમજાય નહિ અથવા તો સમજતાં કષ્ટ પડે તો એ વાતની ઉપેક્ષા કરવાથી ખરી રીતે તો આપણે જ્ઞાનની જ ઉપેક્ષા કરીએ છીએ. જે મુમુક્ષુ આત્માઓ માટે સર્વથા અનુચિત છે. જ્ઞાનનું મહત્ત્વ સમજાય
અને અજ્ઞાનની પીડાનો અનુભવ થાય તો જ અજ્ઞાનદશાનો | નાશ કરવાની ઈચ્છા થશે. અન્યથા અજ્ઞાનનો વિગમ શક્ય નથી. તે ઉપર જણાવેલી ગાથાની બંને ટીકામાં જણાવેલી વાતનો આશય એક જ છે. ચિત્ત- સ્વરૂપ ધર્મ છે. એ ચિત્તથી આગમમાં કર્તવ્ય તરીકે વર્ણવેલી અને અકર્તવ્ય નિષિદ્ધ] . તરીકે વર્ણવેલી ક્રિયાની અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિનું કારણ ચિત્તનો પરિણામ છે અને એ પરિણામવાળું ચિત્ત શુદ્ધિ અને પુષ્ટિથી યુક્ત છે. આવું ચિત્ત જ ધર્મ છે. આથી સમજી શકાશે કે આગમના અનુસાર જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપ ક્રિયા થાય છે, તેના કારણભૂત