________________
થાય છે. ક્રિયાસ્વરૂપ કાર્યનું કારણ તેવા પ્રકારના પરિણામવાળું ચિત્તવિશેષ છે. એ ચિત્તના અભાવમાં ક્રિયાસ્વરૂપ કાર્ય થાય નહિ. કોઈ વાર એવું ક્રિયાત્મક કાર્ય તે વખતે દેખાય તો તે પારમાર્થિક હોતું નથી. શુદ્ધધર્મ શુક્રિયાનું કારણ હોવાથી, અહીં ક્રિયાના કારણસ્વરૂપે ધર્મનું વર્ણન છે-એ યાદ રાખવું. આ રીતે ગાથાર્થ કરવાથી ચિત્તની મુખ્યતા પ્રતીત થાય છે. તેથી ગાથામાં તત્ પુર્વાતિભવ્ આ પદની સાથે અને યતઃ અહીં यत् પદની સાથે ચિત્તનો અન્વય થાય છે. ‘પિત્તપ્રમવ:' આ પદનો અર્થ ‘ચિત્તથી ઉત્પન્ન થનાર' આવો કરીએ તો ચિત્તપદાર્થ મુખ્ય રહેતો ન હોવાથી ‘તત્ પુછ્યાતિમત્'ની સાથે તેનો સંબંધ નહિ થાય તેમ જ યત્ પદથી પણ પૂર્વે જણાવ્યા મુજબ માત્ર ચિત્તનું જે ગ્રહણ થાય છે, તે નહિ થાય. ચિત્તથી ઉત્પન્ન થનાર ધર્મ જ મુખ્ય વિશેષ્ય થશે. ચિત્ત મુખ્ય વિશેષ્ય નહિ થાય અને તેથી વિશેષણવાચક વિશેષણને જણાવનાર] દ્.. વગેરે પદોની સાથે ચિત્તનો સંબંધ થશે નહિ-એ દોષનો પ્રસંગ આવશે. તેથી ચિત્તાપ્રભવતિ-આવો અર્થ [ચિત્તથી ઉત્પન્ન થનાર-આવો અર્થ કર્યો નથી. જે ચિત્તના અધિકરણ-શરીરમાં ઉપર જણાવ્યા મુજબ પ્રવૃત્તિનિવૃત્તિસ્વરૂપ ક્રિયા [ક્રિયાસ્વરૂપકાર્ય] ઉત્પન્ન થાય છે; તે ચિત્ત, રાગાદિસ્વરૂપ મલના દૂર થવાથી પુષ્ટિ અને શુદ્ધિ-એ બેથી યુક્ત બને છે. આ ચિત્ત ધર્મ છે.
પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. યશોભદ્રસૂરિ મહારાજે જણાવેલી એ વસ્તુ સમજવાનું થોડું અઘરું છે. વ્યાકરણ કે ન્યાય વગેરેનું સામાન્ય પણ જ્ઞાન મેળવ્યું ન હોય તો એ
૭૨