SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણ એટલે કે સ્વરૂપ છે. ઉપર જણાવેલી ગાથાનું વિવરણ કરતાં પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. યશોભદ્ર સૂ. મહારાજાએ ફરમાવ્યું છે કે જેમાંથી ઉત્પન્ન થાય છે તેને પ્રભવ-ઉત્પત્તિસ્થાન કહેવાય છે. ચારિત્ર, ચિત્તના પરિણામસ્વરૂપ હોવાથી અને ચિત્તના પરિણામથી ઉત્પન્ન થતું હોવાથી ચિત્તસ્વરૂપ છે. તે ચિત્ત સ્વરૂપ જે ઉત્પત્તિસ્થાન પ્રભવ છે-તેને ઘર્મ કહેવાય છે. આ રીતે ચિત્તપ્રભવઃ' આ પદના કર્મધારય સમાસની વિવફા કરવાથી માથામાં “તઃ' અહીં જે યત પદનો પ્રયોગ છે તે થત પદથી ચિત્તનું જ ગ્રહણ થાય છે. તે ચિત્તસ્વરૂપ ધર્મથી શાસ્ત્રવિહિત અને શાસ્ત્રનિષિદ્ધની અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપ ક્રિયા પ્રવર્તે છે. તે ક્રિયા ઉપર જણાવ્યા મુજબ ચિત્તસ્વરૂપ ધર્મથી થતી હોવાથી કાર્ય છે. તે દિયાસ્વરૂપ કાર્ય થાય છે. આશય એ છે કે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુના આધારને એટલે કે રહેવાના સ્થાનાદિને અધિકરણ કહેવાય છે. પરંતુ અહીં ચાલતા વિષયના કારણે ચિત્તનું અધિકરણ જે શરીર છે તે “થરા પદથી વિવક્ષિત છે. ચિત્તનો આધાર શરીર છે એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે શરીરમાં ઉપર જણાવ્યા મુજબ પ્રવૃત્તિ-નિવૃત્તિસ્વરૂપ ક્રિયાત્મક કાર્ય જે ચિત્તથી ઉત્પન્ન થાય છે તે ચિત્ત ધર્મ છે. શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ કોઈ પણ પ્રવૃત્તિવિશેષ કે નિવૃત્તિવિશેષ કરવાના પરિણામવાળું ચિત્ત અહીં ધર્મ છે. એ ચિત્તના કારણે શરીરમાં પ્રવૃત્તિ-વિશેષ કે નિવૃત્તિ-વિશેષ સ્વરૂપ ક્રિયા ઉત્પન્ન
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy