________________
धर्मश्चित्तप्रभवो यतः क्रियाधिकरणाश्रयं कार्यम् । मलविगमेनैतत्खलु पुष्ट्यादिमदेष विज्ञेयः ॥३-२॥
ધર્મ, ચિત્તથી ઉદ્ભવેલો છે. જેથી પ્રવૃત્તિ કે નિવૃત્તિ સ્વરૂપ ક્રિયાના આશ્રમમાં ભવનિર્વેદાદિ સ્વરૂપ કાર્ય થાય છે. રાગદ્વેષાદિ સ્વરૂપ મલના નાશથી પુષ્ટિ વગેરેથી યુક્ત બનેલું જે ચિત્ત છે તે ચિત્તસ્વરૂપ ધર્મ જાણવો” આ મુજબ બીજી ગાથાનો સામાન્યર્થ છે.
આશય એ છે કે ધર્મ, ચિત્તપ્રભવ છે. મનના પરિણામવિશેષથી જન્ય એવા ઘર્મને ચિત્તપ્રભવ કહેવાય છે. પરંતુ સમૂર્શિમ ની જેમ કોઈ પણ જાતના મનના પરિણામથી શૂન્ય ક્રિયામાત્ર-એ ધર્મ નથી. શાસ્ત્રવિહિતનું આચરણ અને શાસ્ત્રનિષિદ્ધનો ત્યાગ-એ બે પ્રકારની ક્રિયા છે. એ બંને ક્રિયાનું અધિકરણ પરમાર્થથી આત્માનો મોક્ષપરિણામ છે. એ પરિણામના આધારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપ વાસ્તવિક ક્રિયા થાય છે. જેનું કારણ ખરેખર જ ઉપર જણાવ્યા મુજબનો મનનો વિશુદ્ધ પરિણામ છે. ક્રિયાના અધિકરણ [અધિકાર સ્વરૂપ એ આત્માના મોક્ષપરિણામને લઈને ભવનિર્વેદ અને સંવેગાદિ વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન થાય છે. એ કાર્યવિશેષનું મૂળભૂત કારણ માર્ગાનુસારી ધર્મ છે. એ ધર્મ જ અહીં લક્ષ્ય નિરૂપણીય છે. પરંતુ અભવ્ય કે અચરમાવર્તવર્તી વગેરે જીવો દ્વારા આરાધાતો ધર્મ અહીં લક્ષ્ય નથી. આથી સમજી શકાશે કે રાગ, દ્વેષ અને મોહ સ્વરૂપ મલનો નાશ થવાથી જે ચિત્ત પુષ્ટિમતું અને શુદ્ધિમતું થયું છે, તે ચિત્ત જ ધર્મસ્વરૂપ છે અર્થાત્ એ ચિત્ત જ ધર્મનું