________________
॥ ગથ તૃતીયં ષોડશવમ્ | બાલાદિ જીવોને સદ્ધર્મદેશના આપવા અંગેનો .જે વિધિ છે તે, આ પૂર્વે કહ્યો. હવે ધર્મનું પોતાનું જ લક્ષણ કહેવાય છે
-
अस्य स्वलक्षणमिदं धर्मस्य बुधैः सदैव विज्ञेयम् ।. सर्वागमपरिशुद्धं यदादिमध्यान्तकल्याणम् ॥३- १॥
“સકલ-આગમાનુસારી હોવાથી પરિશુદ્ધ અને શરૂઆતની, વચ્ચેની તથા છેલ્લી અવસ્થામાં કલ્યાણનું કારણભૂત આ ધર્મનું સ્વ-સ્વરૂપાત્મક આંગળ હવે પછી જે જણાવાય છે તે લક્ષણ પંડિતોએ કાયમને જ માટે જાણવું.”આ પ્રમાણે પહેલી ગાથાનો શબ્દાર્થ છે. તેનો આશય એ છે કે-હવે પછીની ગાથાથી ધર્મનું લક્ષણ કહેવાશે. પોતાનાથી જુદી વસ્તુથી ભિન્ન જે પોતાનું સ્વરૂપ છે તેને લક્ષણ કહેવાય છે. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનો સાચો ખ્યાલ ત્યારે જ આવે છે કે જ્યારે તે વસ્તુથી અન્ય જે વસ્તુઓ છે તે બધાથી તે વસ્તુ જુદી છે. ઘડાના સાચા જ્ઞાન માટે ઘડાથી જુદી જે વસ્ત્ર, પાત્ર વગેરે તમામ વસ્તુઓ છે તે બધાથી ઘડો વિલક્ષણ છે. આ રીતે તે તે વસ્તુઓનું તદન્યથી વિલક્ષણતાનું જેનાથી જ્ઞાન થાય છે તે વસ્તુસ્વરૂપ જ વસ્તુનું લક્ષણ છે. ન્યાયની પરિભાષામાં એ જણાવવું હોય તો, “અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ દોષથી જે શૂન્ય છે-તે લક્ષણ છે-' એમ કહી શકાય. પુદ્ગલમાત્રનું ‘શબ્દ' લક્ષણ અવ્યાપ્તિદોષથી શૂન્ય નથી, કારણ કે તે દરેક પુદ્ગલમાં દરેક વખતે હોતું નથી.
Fe