________________
પરિણામ રિક્ત, કૃષ્ણ, પીતાદિ સ્વરૂપ પામે છે, તેમ ક્ષણવૃત્તિવાળા ચિત્તની ગ્રાહ્ય વિષય ગ્રહતા [આત્મા અને ગ્રહણ[ઈન્દ્રિયના વિષયમાં સ્થિર થવાથી જે ગ્રાહ્યાદિની સાથે સમાનતા પ્રાપ્ત થાય છે-તેને સમાપત્તિ કહેવાય છે, જે સંપ્રજ્ઞાત સમાધિ સ્વરૂપ છે. આ સમાધિનો ઉલ્લેખ કરતી વખતે “મારામાં એ રૂપ છે; હું પરમાત્મા જ છું અને હું જ્ઞાનસ્વરૂપ છું. વગેરે સ્વરૂપ વર્ણવ્યું છે. જ્ઞાતા, શેય અને જ્ઞાન આ ત્રણનું જ્યારે અભેદપણે ભાન થાય છે, ત્યારે પૂર્વોક્ત સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે. મયિ તકૂપનું સ વાહ.. ઈત્યાદિ ઉપર જણાવેલા ધ્યાનના ઉલ્લેખવાળા વિશિષ્ટ જ્ઞાનના સંબંધસ્વરૂપ આ સમાપત્તિ સમ્યક્તાદિ ગુણસંપન યોગીજનોની માતા છે. યોગી જનોનો પ્રાદુર્ભાવ સમરસાપત્તિથી થાય છે, જેનું ફળ નિર્વાણપદ છે. આ પ્રમાણે નિર્વાણપદને આપનારી સમરસાપત્તિના મૂળમાં પરમતારક વચન છે-એ સ્પષ્ટપણે સમજી શકાય છે. સંર-૧પા
: : : આ પૂર્વે જણાવેલી વાતનું સમર્થન કરતાં ફરમાવ્યું છે
इति यः कथयति धर्म विज्ञायौचित्ययोगमनघमतिः । जनयति स एनमतुलं श्रोतृषु निर्वाणफलदमलम् ॥२-१६॥
પૂર્વે જણાવ્યા મુજબ બાલ, મધ્યમ અને પંડિતજનોને તેમના ઔચિત્યના સંબંધને જાણીને એટલે કે તેમની યોગ્ય પરિણતિને જાણીને જે ગુરુ ભગવા ધર્મ કહે છે; તે