________________
અથવા તેના ફળસ્વરૂપે પરમાત્માનું ધ્યાનવિશેષ-આ અવસ્થાઓનો સ્પષ્ટપણે ખ્યાલ આવશે તો સમરસાપત્તિને સમજવામાં તકલીફ નહિ પડે.
* આથી સમજી શકાશે કે વચનના બહુમાનાદિ દ્વારા શ્રી સર્વજ્ઞભગવંતની હૃદયસ્થતા જ ખરી રીતે સમરસાપત્તિ છે. દરેક અનુષ્ઠાન પ્રિવૃત્તિ-નિવૃત્તિ સ્વરૂપ વખતે પરમાત્માના પરમતારક આગમના વચનની અગ્રેસરતાના કારણે જાગૃત થયેલા સંસ્કારથી ભગવાન શ્રી સર્વજ્ઞ પરમાત્માનું પુણ્યસ્મરણ થાય છે; અને તેથી ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન થાય છે. પરમાત્માની આ હૃદયસ્થતા જ સમરસાપત્તિનું કારણ બને છે અથવા એ સમરસાપત્તિ છે. અહીં રસ શબ્દનો અર્થ “ભાવ” હોવાથી સમરસાપત્તિનો અર્થ સમતા-પત્તિ થાય છે. પરમાત્માની સાથે સામ્યવસ્થાનું ધ્યાન-મનની તન્મયતા સમરસાપત્તિ છે. પાતંજલયોગદર્શનમાં આ અંગે જણાવ્યું છે -"क्षीणवृत्ते- रभिजात्यस्येव मणे ग्राह्यग्रहीतृग्रहणेषु तस्थतदानता સમાપત્તિઃ” આ સૂત્રનો સામાન્યર્થ નીચે મુજબ છે. વિશેષાર્થ જાણવાની ઈચ્છા હોય તો તે માટે પાતંજલયોગદર્શન સૂ.નં. ૧-૪૧માં જોવું.]
સામાન્ય રીતે સાંખ્યદર્શનપ્રસિદ્ધ ચિત્તની ત્રણ વૃત્તિઓ છે. સાત્ત્વિક, રાજસ અને તામસ-આ ત્રણ વૃત્તિઓમાંથી જ્યારે રાજસ અને તામસ વૃત્તિઓ ક્ષય પામે છે ત્યારે માત્ર સાત્વિક વૃત્તિઓવાળું નિર્મળ ચિત્ત “ક્ષીણવૃત્તિ' કહેવાય છે. ઉત્તમ જાતિવાળો નિર્મળ મણિ, વિષયના સનિધાનથી [પાસે રહેલા છે તે જપાપુષ્પાદિના સંબંધથી જેમ તે તે વિષયાકાર