________________
હૃદયસ્થ બન્યા પછી થાય છે. વચનને હૃદયસ્થ બનાવ્યા વિના પરમાત્મા હૃદયસ્થ નહીં થાય. આથી સમજી શકાશે કે સર્વાર્થ - સંસિદ્ધિ કે સર્વથા સંસિદ્ધિનું મૂળભૂત કારણ પરમતારક શ્રી જિનાગમનું વચન છે. રિ-૧૪
ઉપર જણાવ્યા મુજબ સર્વ પ્રયોજન-અર્થની સિદ્ધિના કારણ સ્વરૂપે પરમાત્માની સ્તવના કેમ કરાય છે ?-આવી શંકાનું સમાધાન કરવા માટે જણાવાય છે. આશય એ છે કે આ પૂર્વે પરમાત્મા હૃદયસ્થ થયે છતે સર્વાર્થસિદ્ધિ થતી હોવાનું વર્ણન કરી શ્રી વીતરાગ પરમાત્માનો મહિમા જણાવ્યો છે. એ અંગે શંકા એટલી જ છે કે પરમાત્માના હૃદયસ્થ થવાથી એવું તો શું થાય છે કે જેથી સર્વાર્થની સિદ્ધિ થાય છે ? આ શંકાનું સમાધાન કરતાં ગ્રન્થકારશ્રી ફરમાવે
છે કે
चिन्तामणिः परोऽसौ तेनैवं भवति समरसापत्तिः । सैवेह योगिमाता निर्वाणफलप्रदा प्रोक्ता ॥२-१५॥
“આ સર્વજ્ઞ ભગવાન શ્રેષ્ઠ કોટિના ચિન્તામણિ છે; તે પરમાત્માની સાથે આગમ પ્રત્યેના બહુમાન દ્વારા સમાનતા પ્રાપ્ત થાય છે. એ સમતાસ્વરૂપ સમરસાપત્તિ યોગીજનોની માતા છે, જે નિર્વાણ સ્વરૂપ ફળને આપનારી તરીકે જણાવાઈ છે.” આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકર પરમાત્મા એકાન્ત પરમ કલ્યાણને કરનારા હોવાથી ચિત્તામણિ કરતાં