________________
“આ પરમતારક વચન હૃદયસ્થ હોય તો ખરી રીતે શ્રી તીર્થંકર પરમાત્મા હૃદયસ્થ હોય છે અને શ્રી સર્વજ્ઞ પરમાત્મા હૃદયસ્થ હોતે છતે ચોક્કસપણે સર્વ અર્થની સિદ્ધિ થાય છે”- આ પ્રમાણે ચૌદમી ગાથાનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનાગમના વચનનો સકલ ધર્માનુષ્ઠાનમાં આદર વગેરે કરવાથી તે વચન હૃદયમાં કોતરાય છે. આ રીતે હૃદયસ્થ તે વચન થવાથી તેના સ્વતન્ત્ર વક્તા તરીકે પરમાત્માનું નિરંતર સ્મરણ થવાથી પરમાર્થથી તો શ્રી તીર્થંકરદેવ - સર્વજ્ઞ હૃદયસ્થ બને છે. આમ તો એ વચનો શ્રી ગણધર ભગવન્તાદિએ રચેલાં છે. પરન્તુ તે વચનો ખરેખર તો સ્વતન્ત્રપણે શ્રી તીર્થંકર પરમાત્માએ કહેલાં [અર્થથી કહેલાં] હોવાથી તે વચનો સાથે શ્રી તીર્થંકર પરમાત્માનો સંબન્ધ છે. ગણધરભગવન્નાદિએ તેની રચના પરમાત્માને આધીન થઈને કરેલી છે. સ્વતન્ત્રપણે વક્તાના સંબન્ધના કારણે વચનસ્વરૂપ સમ્બન્ધીના સ્મરણથી બીજા સમ્બન્ધીરૂપે ` પરમાત્માનું પણ સ્મરણ થાય છે. વચનની સ્મૃતિથી વક્તાનું સ્મરણ થાય એ સહજ છે. આ રીતે પરમાત્મા હૃદયસ્થ થયે છતે સર્વ ઈષ્ટ અર્થની નિશ્ચયથી સિદ્ધિ થાય છે. પરમાત્મા હૃદયસ્થ હોતે છતે પરમપદની પ્રાપ્તિ થવાથી એવું કોઈ ઈષ્ટ રહેતું નથી કે જેને પ્રાપ્ત કરવાનું બાકી રહે. તેથી પરમપદની પ્રાપ્તિ સર્વથા સંસિદ્ધિસ્વરૂપ છે. જે સિદ્ધિ પછી કોઈ પણ સિદ્ધિ બાકી ન હોય એવી સિદ્ધિને સર્વથા સંસિદ્ધિ કહેવાય છે; જે, પરમપદની પ્રાપ્તિથી જ શક્ય છે અને એ પરમપદની પ્રાપ્તિ પરમાત્મા
ર