SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મર્યાદાને આશ્રયીને જે ધર્મ કરાય છે તે જ ધર્મ છે અને એ ઘર્મ જ સિદ્ધિ-મોક્ષ માટે થાય છે. ગ્રન્થકાર પરમર્ષિએ જણાવેલી વચનની – આજ્ઞાની પ્રધાનતાને સમજી લેવાનું ખૂબ જ આવશ્યક છે. આજ સુધી આપણને સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી તેનું કારણ “ઘર્મ કર્યો નથી તે નથી પરતુ “શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞાનું પાલન કર્યું નથી” - આ એક જ કારણ છે. શાસ્ત્રનું પરિશીલન કરી ધર્મને તે મુજબ આરાધ્યો હોત તો સિદ્ધિમાં વિલંબ થવાનું કોઈ જ કારણ ન હતું. પ્રવૃત્તિ કરવાનું નક્કી કરીને તેને અનુકૂળ શાસ્ત્રપાઠો શોધવાની પ્રવૃત્તિ ખૂબ જ ખરાબ છે. શાસ્ત્રોનું અવગાહન કરી એમાં જણાવ્યા મુજબ વિહિતની પ્રવૃત્તિ અને નિષિદ્ધની નિવૃત્તિ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. મોટા ભાગે આપણે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવાનું નક્કી કરી લીધા પછી તેના સમર્થન માટે શાસ્ત્રપાઠો શોધવા નીકળીએ છે. ઈચ્છા મુજબની આજ્ઞાના બદલે આજ્ઞા મુજબની ઈચ્છા કેળવી લઈએ તો ઘર્મની જ નહિ મોક્ષની પણ સિદ્ધિ થયા વિના નહિ રહે. ર-૧૩ : આ પ્રમાણે વચનનું માહાભ્ય-મહિમા શા માટે જણાવાય છે?- આ શંકાનું સમાધાન કરતાં વચનનો મહિમા જણાવાય છે –– अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । . . हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः ॥२-१४॥
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy