SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે ક્ષણવાર માની લઈએ કે અન્ય જિનેતર દર્શનકારોનાં શાસ્ત્રો, કષ કે છેદથી ઉપર જણાવ્યા મુજબ શુદ્ધ હોય તોપણ તાપથી શુદ્ધ નથી. શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવ્યા મુજબ વસ્તુમાત્ર દ્રવ્યરૂપે અપરિણામી અને ગુણ કે પર્યાય સ્વરૂપે પરિણામી હોવાથી જૈનદર્શનમાં છે તે અનુષ્ઠાનાદિનાં વિવક્ષિત શુભાશુભ ફળો ચોક્કસ જ પ્રાપ્ત થતાં હોય છે. તેથી તાપથી પરિશુદ્ધ આ એક જ દર્શન છે. પાપ કરીને આત્મા દુર્ગતિમાં જાય છે; પુણ્ય કરીને આત્મા સતિમાં જાય છે અને સકલ શુભાશુભ કર્મનો ક્ષય થવાથી આત્મા મોક્ષમાં જાય છે. ત્રણેય અવસ્થામાં આત્મા આત્મસ્વરૂપે સ્થિત છે. આમ છતાં તે તે ગતિ વગેરેની અપેક્ષાએ આત્મા જુદી જુદી અવસ્થાને પ્રાપ્ત કરે છે-આવું માનીએ નહિ અને આત્માને સર્વથા અપરિણામી અથવા સર્વથા પરિણામી માની લેવામાં આવે તો આત્માની નિગોદાવસ્થાથી માંડીને સિદ્ધાવસ્થા સુધીની અવસ્થાઓ વાસ્તવિક મનાશે નહિ-આ બધું ચોક્કસ રીતે તેના જાણકારો પાસેથી જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ. વિસ્તારથી લખીને સમજાવવાનું શક્ય નથી. અન્યદર્શનકારોનાં શાસ્ત્ર તાપથી પરિશુદ્ધ નહિ હોવાથી ખરી રીતે તેમને ત્યાં જણાતી કષશુદ્ધિ અને છેદશુદ્ધિ પણ વાસ્તવિક નથી. પોતાની ઈચ્છા મુજબ સર્જાયેલાં એ શાસ્ત્રોમાં કષ, છેદ અને તાપની શુદ્ધિ કોઈ પણ રીતે શકય નથી. એવી શુદ્ધિ માત્ર જૈનદર્શનમાં જ છે, કારણ કે તે કેવલજ્ઞાનમૂલક છે. : ' ઉપર જણાવ્યા મુજબ કષ, છેદ અને તાપ-આ ત્રણ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy