________________
આરાધના કરવાનું તેમના માટે શક્ય નહિ બને. આજ્ઞાની ઉપેક્ષા કરી માત્ર તે તે ધર્માનુષ્ઠાન કરવાથી કલ્યાણના અર્થી જનો પણ પોતાની ભાવના સફળ બનાવવા સમર્થ થતા નથી. If૨-૧ર
ક આ રીતે સકલ ધર્માનુષ્ઠાનોને ગૌણ બનાવી માત્ર વચનનું પ્રાધાન્ય પંડિત જનોને શા માટે સમજાવાય છે - આવી શંકાના સમાધાન માટે જણાવાય છે --
यस्मात् प्रवर्तकं भुवि निवर्तकं चान्तरात्मनो वचनम् । धर्मश्चैतत्संस्थो मौनीन्द्रं चैतदिह परमम् ॥२-१३॥ .
જે કારણથી, આ ભવ્યલોકમાં [ભવ્ય જીવોના સમુદાય સ્વરૂપ લોકમાં સ્વાધ્યાય, ધ્યાન કે તપ વગેરે કર્તવ્યોમાં અને હિંસા, અસત્ય કે ચોરી વગેરે પાપ - નિષિદ્ધવિષયમાં મનને અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરાવનારું આગમસ્વરૂપ વચન છે. ધર્મ, પરમતારક વચનમાં સમાયેલો છે, તેથી અહીં ધર્મની સિધિમાં શ્રી તીર્થંકર પરમાત્માનું આગમસ્વરૂપ વચન સર્વ ધર્માનુષ્ઠાનો કરતાં શ્રેષ્ઠ છે.” આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે.
આશય એ છે કે શ્રી વિતરાગ પરમાત્માએ કર્તવ્યરૂપે ઉપદેશેલા સ્વાધ્યાય વગેરેની પ્રવૃત્તિ અને નિષિદ્ધરૂપે વર્ણવેલાં હિંસાદિ પાપોની નિવૃત્તિ તેઓશ્રીના પરમતારક વચનને અનુસરતી હોય તો જ તે ધર્મસ્વરૂપ છે. અન્યથા શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક વચનને અનુસરતી એ