________________
પરમતારક ધર્મનું રહસ્ય અને સર્વસ્વ - સાર આ પરમતારક વચન છે. આ પ્રમાણે બારમી ગાથાનો શબ્દાર્થ છે. બાલ અને મધ્યમ જીવોને યોગ્ય એવી દેશનાનું સ્વરૂપ જણાવીને પંડિત જનોને યોગ્ય એવી દેશનાને વર્ણવવાના અવસરને પામી બારમી ગાથાથી પંડિત જનોને ઉચિત એવી દેશનાનું નિરૂપણ કરાય છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મ આ બંને શ્રી વિતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા સ્વરૂપ વચન - આગમની આરાધનાથી જ પ્રાપ્ત થાય છે. શ્રુતસ્વરૂપ ધર્મ અને ચારિત્રસ્વરૂપે ધર્મ, સમ્યજ્ઞાનસ્વરૂપ અને સમ્યગુજ્ઞાનપૂર્વકની વિરતિ સ્વરૂપ છે. એ ઘર્મની પ્રાપ્તિ આગમની આરાધનાથી - આગમાનુસારી પ્રવૃત્તિથી જ થાય છે. એ પરમતારક આગમનું અનુસરણ કરવામાં ન આવે તો ગમે તેવા પણ ધર્માનુષ્ઠાનથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ આગમનો બાધ વિરોધ થવાથી ખરી રીતે અધર્મની જ પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાશે કે- ધર્માનુષ્ઠાન; ધર્મમૂલક, ધર્મસ્વરૂપ કે ધર્મનું કારણ બનતું હોય તો તેનું એક જ કારણ છે કે તે આગમના અનુસરણથી થયેલું છે. આ આગમ જ પરમતારક ધર્મનું પરમ રહસ્ય છે. ધર્મમાત્રનો એ એક જ સાર છે. વિધાનાત્મક અને નિષેધાત્મક વચન સ્વરૂપ આગમને આરાધવાથી જ વસ્તુતઃ ધર્મની પ્રાપ્તિ થાય છે. બાહ્યદૃષ્ટિએ સારામાં સારો જણાતો પણ ધર્મ આગમમૂલક ન હોય અને આગમથી બાધિત હોય તો તે અધર્મ છે - એ ભૂલવાજેવી વાત નથી. મુમુક્ષુ આત્માઓને આજ્ઞાનું મહત્ત્વ સમજાય નહિ તો ઘર્મની