________________
બને છે. કારણ કે વાસ્તવિક ગુરુપારતન્યના આસેવનથી તેવા પ્રકારના પુણ્યનો બન્ધ થાય છે કે જેના ઉદયે શ્રી તીર્થંકર પરમાત્માનું પુણ્યદર્શન પ્રાપ્ત થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે માત્ર પોતાની જાતિ કે જ્ઞાતિ વગેરેની સમાનતાને લઈને ગુરુ પ્રત્યે પારતન્ય આવે તો તેથી પરમગુરુની પ્રાપ્તિ નહિ થાય. ઉપર જણાવ્યા મુજબના કુશલપરિણામથી જ શ્રી સર્વજ્ઞભગવાનાં પરમતારક દર્શનનો સંભવ છે. આવો કુશલ પરિણામ પણ શ્રી સર્વજ્ઞપરમાત્માનાં દર્શનની જેમ જ મહામુસીબતે પ્રાપ્ત થતો હોય છે. ભવની અસારતા સમજાય, તેનો ક્ષય કરવાની ભાવના જન્મ-એ માટે પ્રયત્ન કરાય અને એના ફળસ્વરૂપે પરમતારક ગુરુભગવન્તનું પારતન્ય સ્વીકારાય ત્યારે માંડ માંડ એવો કુશલ પરિણામ પ્રાપ્ત થાય છે. આટલું કર્યા પછી પણ ક્ષુદ્ર જનોનો પરિચય, પરીસહાદિનું કષ્ટ અને અનાદિકાળથી અભ્યસ્ત સ્વચ્છન્દતા વગેરે; કુશલ પરિણામનો નાશ કરવા તત્પર જ હોય છે. આવા સંયોગોમાં ગુરુપારતન્ય ટકાવવાનું ઘણું જ અઘરું છે. મુમુક્ષુ જનોના સાધનામાર્ગે જો કોઈ પ્રબળ અવરોધ હોય તો તે ગુરુપારતત્યનો અભાવ છે આ વાત સમજાય તો આજે પણ મોક્ષની સાધના અશક્ય નથી. જે ગુરુપારતન્ય પરમગુરુ શ્રી તીર્થંકરપરમાત્માની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે, તે ગુરુપારતન્ય પૂ. સાધુભગવન્તોએ અવશ્ય કેળવવું જોઈએ. “દીક્ષા લીધી છે માટે ગુરુનું માનવું પડે.” આવા પ્રકારની કોઈ વેઠ ઉતાર્યા વિના ઉપર જણાવ્યા મુજબ આન્તરિકપરિણામવિશેષથી ગુરુપારતન્ય કેળવી લેવામાં જેટલો