SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુભગવત્તાનું સદ્ગા મધ્યમબુદ્ધિવાળા જીવોને સારી રીતે સમજાવવું. ર-ાા આગમગ્રહણ કરવા સ્વરૂપ સાધુવૃત્ત પૂ. ગુરુભગવત્તને આધીન હોવાથી તે અંગે પણ મધ્યમબુદ્ધિવાળા જીવોને જે જણાવવાનું છે તે જણાવાય છે –– गुरुपारतन्त्र्यमेव च तद्बहुमानात्सदाशयानुगतम् ।। परमगुरुप्राप्तेरिह बीजं तस्माच्च मोक्ष इति ॥१०॥ “પૂ. ગુરુભગવન્ત પ્રત્યેની આન્તરિકપ્રીતિવિશેષના કારણે ઉત્પન, સુંદર આશયથી અનુગત એવું ગુરુપારતન્ય જ આ જગતમાં પરમગુરુ શ્રી સર્વજ્ઞપરમાત્માની પ્રાપ્તિ દિર્શનાદિનું બીજ છે, અને તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે એકાન્ત કલ્યાણને કરનાર પરમતારક આગમનું અધ્યયન પૂ. ગુરુભગવત્તને આધીન છે. તેઓશ્રીની આજ્ઞાને વશ બન્યા વિના કોઈ પણ રીતે આગમનું અધ્યયન થાય એવું નથી. માત્ર ગુરુ પાસે રહેવાથી ગુરુપારતન્ય ગણાતું નથી. પરંતુ તેઓની પ્રત્યે આન્તરિક શુભ પરિણામસ્વરૂપ બહુમાન થવાથી જે ગુરુપારતત્ય જન્મે છે તે જ ખરી રીતે ગુર્વાજ્ઞાની આધીનતા છે. આવું ગુરુપારતન્ય “આ મારા ગુરુ સંસારક્ષયના કારણ છે' આવા સુંદર પરિણામથી ઓતપ્રોત છે. તેવા પ્રકારના કુશલપરિણામથી જ યુક્ત ગુરુપારતન્ય આ જગતમાં પરમગુરુ શ્રી તીર્થંકર પરમાત્માનાં દર્શનનું કારણ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy