________________
છે. આશય એ છે કે જે સાધુ ભગવન્તો પૂર્વે જણાવ્યા મુજબ અષ્ટ પ્રવચનમાતાઓની સાથે રહે છે, તેઓશ્રીને સદાને માટે પાપનો બંધ ન હોવાથી સંસારમાં ભટકવાનો ભય રહેતો નથી. કારણ કે મોક્ષની પ્રબળ ઈચ્છા તેઓશ્રીને પ્રાપ્ત થયેલી છે. મોક્ષની ઉત્કટ ઈચ્છા, સંસારના પરિભ્રમણને દૂર કરવા માટે ખૂબ જ અદ્ભુત સાધન છે. આમ પણ ઈચ્છાની શક્તિ અચિત્ત્વ છે. એક વખત કોઈ પણ વસ્તુની ઉત્કટ ઈચ્છા થઈ જાય એટલે એ જીવો તેને પૂર્ણ કરવા માટે કશું જ બાકી રાખતા નથી. આવી જ રીતે મોક્ષની ઈચ્છા પ્રાપ્ત થવાથી મુમુક્ષુ આત્માઓ મોક્ષને પ્રાપ્ત કરવા બધું જ કરી લે છે, જેથી સંસારમાં ભટકવું પડતું નથી.
તદુપરાન્ત અષ્ટ પ્રવચનમાતાથી સહિત પૂ. સાધુભગવન્તોને હિતની પ્રાપ્તિ થાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરનારા પૂ. મુનિભગવન્તોને ભવિષ્યમાં કોઈ જ અપાય થતો ન હોવાથી ખૂબ જ સારી રીતે ફળને આપનારું આગમગ્રહણ પ્રાપ્ત થાય છે. વિનયબહુમાનપૂર્વક સ્વાધ્યાયમાંડલીમાં બેસવાદિ-વિધિપૂર્વકનું આગમગ્રહણ [અધ્યયન એકાન્ત હિતકર છે. કારણ કે વાચનાદિની પ્રવૃત્તિ દ્વારા આગમના અધ્યયનનો અધિકાર અષ્ટપ્રવચનમાતાનું પાલન કરનારાને જ છે. અને અધિકારીએ કરેલું કાર્ય તેમના માટે સર્વથા હિતને કરનારું બને છે. અષ્ટપ્રવચનમાતાથી રહિત આત્માને વિધિપૂર્વક આગમના ગ્રહણનો અધિકાર ન હોવાથી અનધિકૃતપણે કરેલું આગમનું ગ્રહણ તેમના માટે અત્યન્ત ફલને આપનારું નહિ બને. આ પ્રમાણેનું પૂ.