________________
પ્રવૃત્તિ સમાપ્ત થવાથી અંતમાં ઉત્કૃષ્ટ તપ વગેરે કરવા દ્વારા શરીરનું વધારે દમન કરવું. આ રીતે આગમમાં જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતોનું સવૃત્ત હિતકર બને છે. ૨-૭ા
***
પૂ. સાધુભગવંતોનું સવૃત્ત જ હવે જણાવાય છે. अष्टौ साधुभिरनिशं मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः परमं कल्याणमिच्छद्भिः ॥ २-८॥
પુત્રની માતા જેવી પ્રવચનની આઠ માતાઓ પરમકલ્યાણને ઈચ્છતા એવા પૂ. સાધુભગવંતોએ ક્યારે પણ ચોક્કસપણે છોડવી નહિ.' ઈર્યાસમિતિ ભાષાસમિતિ એષણાસમિતિ આદાનભંડ-મત્ત . નિક્ષેપણાસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ-આ પાંચ સમિતિ તેમ જ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ-આ ત્રણ ગુપ્તિ, એ મળીને આઠ પ્રવચન માતાઓ છે. સામાન્ય રીતે જ્ઞાન, દર્શન ચારિત્રના પ્રયોજને ચાલતી વખતે સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિને જોઈને કોઈ પણ જીવ-જન્તુ ઉપર પગ આવે નહિ તે રીતે ચાલવું-તેને ઈર્યાસમિતિ કહેવાય છે. સાવદ્ય વચનનો ત્યાગ કરી નિરવધ વચન બોલવું - તેને ભાષાસમિતિ કહેવાય છે. બેતાળીશ દોષોનો ત્યાગ કરી શુદ્ધ આહારને ગ્રહણ કરવા સ્વરૂપ એષણાસમિતિ છે. કોઈ પણ વસ્તુ લેતાં કે મૂકતાં પૂંજીને પ્રમાર્જીને મૂકવા સ્વરૂપ આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ છે અને મળાદિને નિરવઘ ભૂમિમાં પરઠવવા સ્વરૂપ પારિષ્ઠાપનિકાસમિતિ છે. મન, વચન અને કાયાની અશુભ
૫૧